SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ મેળવીને તે પેાતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. ૧૦૫ એકદા તે બગીચામાં કૃપાના સાગર પ્રતિમાધારી અને જાણે સાક્ષાત્ પુણ્યરાશિ હાય એવા કાઈ મુનિ પધાર્યા, એટલે સન્માની સ્થિતિને દર્શાવનાર એવા સૂર્યને જોતાં ચક્રવાક હુ પામે તેમ પવિત્ર અંગવાળા મુનીશ્વરને જોઈને તે કુલપુત્ર બહુ જ હુ પામ્યા. પછી ત્રણ પ્રદક્ષિણા દઈને તે મહાત્માને નમ્યા, છતાં આશ્ચય તા એ છે કે તે પ્રૌઢ ઉદયથી અન્વિત એવા ઉચ્ચ પદ (સ્થાન)ને પામ્યા. ત્યારપછી અજલિ જોડીને તેણે મુનીશ્વરને વિજ્ઞપ્તિ કરી કે-હુ પ્રભા ! હસ્ત પાદ વિગેરેથી મનુષ્યપણું સમાન છતાં કોઈ રાજા, કોઈ રંક, કાઈ સ્વામી, કોઈ સેવક, કોઈ પડિત, કોઈ મૂખ, કોઈ નિર્ધન અને કાઈ ધનવાન થાય છે તે શા કારણથી થાય છે? હે નાથ ! તેનું કારણ મને સમજાવા.’ એટલે મહાત્મા એાલ્યા કે–“હે મહાભાગ ! તત્ત્વજ્ઞ પુરૂષોએ જગતમાં સવ વસ્તુઓમાં કારણભેદવડે જ કા ભેદ માનેલા છે. સર્વ જીવાના સુખ દુઃખમાં પૂર્વ ક કારણુ છે. તે કમ શુભ અને અશુભ એવા એ પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. મિથ્યાત્વ, વિષયાસક્તિ, પ્રમાદ, અવિરતિ, આ ધ્યાન અને રૌદ્રધ્યાન—એ અશુભ કર્મને ઉપાર્જન કરવાના હેતુ છે. કવિપાકમાં કહ્યુ છે કે-જે પુરૂષા ક્રૂર, નાસ્તિક, પાપી, પરદ્રવ્યનું હરણ કરનારા, મદ્ય, દ્યૂત અને માંસાદિકમાં આસક્ત, મૂર્ખ, સદા પાપરક્ત, સર્વ જીવાના ઘાતક અને મત્સરને ધરનારા હોય છે તે ભવાંતરમાં દુઃખી
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy