SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સ : ૧૦મા] [૨૫ છે. તેમાં પણ વિશેષ કરીને હમણાંનુ મુહૂત પણ શ્રેષ્ટ છે. કારણ કે આપ અર્જુનનારૂપે પ્રગટ થયા છે, જેના ઘરને આપે આપના ચરણકમળથી પવિત્ર કર્યા છે. તેથી જગતમાં હું અધિક પુણ્યવાન છું. આપની કૃપાથી આ નગર શત્રુરહિત બન્યું છે. મારી પુત્રી ઉત્તરા પણ ભાગ્યશાલિની છે. જેને આપ શિક્ષક રૂપે મલ્યા છે. મારા પુત્રનું રક્ષણ કરવાથી આપ મારા જીવનના પણ જીવન છે એટલું જ નહિ પણ ક'ક, વલ્લવ, ત'ત્રિપાલ, ગ્રંથિક એ બધાના પણ ઉપકાર હું ભુલી શકું તેમ નથી. કેમકે તેઓએ સુશર્માની સાથે યુદ્ધમાં મારા જીવનને તથા યશને તેઓએ બચાવ્યા છે. અર્જુને હસતાં હસતાં કહ્યુ' કે પાંડવાના સ્વભાવ છે કે સહુ કાઈના દુઃખમાં ભાગ લેવા. ત્યારે રાજાએ હસીને પૂછ્યું' કે શું કહેા છે? તમે ! અર્જુન એલ્યે કે જેને તમે કઇંક કહેા છે. તે રાજા યુધિષ્ઠિર છે. અને વલ્લવ એ જ આ વૃકૈાદર (ભીમ) છે. તંત્રિપાળ નકુળ અને ગ્રંથિક સહદેવ છે. અને રાણી સુદેષ્ણાને જે આનંદ આપવાવાળી સૈર’શ્રી માલિની છે. તે દ્રુપદન’દિની દ્રૌપદી છે. અર્જુનના વચના સાંભળી વિરાટેન્દ્રને આનંદ પરિસીમા એળગી ગયા. ત્યારબાદ અર્જુનની સાથે જઈ વિરાટરાજાએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યાં. રેશમીવસ્રો અલકારાથી વિભૂષિત કરી યુધિષ્ઠિરને તથા સુવર્ણ મય સિ’હાસન પર
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy