SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 1 મારા સંગ્રહમાં જે પ્રાકૃત ગાથાઓને સંગ્રહ થએલે, તેને જુદા જ પુસ્તકરૂપે બહાર પાડવાને વિચાર ગોઠવેલે હાઈ, આ સંગ્રહમાં અપવાદ સિવાય માત્ર સંસ્કૃત શ્લોકે જ આપવામાં આવ્યા છે. આવા એક બૃહત સંગ્રહને માટે જેમ એકાદ સારી પ્રસ્તાવનાની જર છે, તેમ આખા ગ્રંથમાં આવતા તમામ લોકેાની અકારાદિ અનુક્રમણિકા તથા ઉપગમાં લીધેલા ગ્રંથનું સૂચીપત્ર વિગેરે કેટલીક ઉપયોગી બાબતો આપવાની પણ જરૂર છે, પરંતુ તે બધું આખાયે સંગ્રહ તૈયાર થયા પછી જ આપી શકાય, એટલે તે બધી બાબતો ચોથા ભાગમાં આપવાનું રાખી, આ પ્રત્યેક ભાગમાં તો તેમાં આવતા વિષયોની અનુક્રમણિકા, સાંકેતિક અક્ષર અને ચિહ્નોની સમજુતી તથા શુદ્ધિ પત્રક; એટલું જ માત્ર આપવું ઉચિત ધાર્યું છે. માત્ર આ પુસ્તકની ઉત્પત્તિના સંબંધમાં જ જે કંઇ બે એક બાબત કહેવાની હતી તે કહી છે. આ પ્રસંગે મારા તે બે મહાન ઉપકારીઓના ઉપકારને પ્રગટ કરવા નહીં ભૂલું કે જેઓની અસીમ કૃપા અને અમીદષ્ટિએ મારા જેવા અજ્ઞાની અને જડબુદ્ધિવાળા જીવને ચૈતન્ય અપ્યું છે અને મારા જીવનની કાયાપલટ કરી મને ઋણી બનાવ્યો છે. તેઓ છે-મારા દાદાગુરુ જગપૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી અને મારા ગુરુ શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ. મારા ગુરુએ આ ગ્રંથને સુંદર પદ્ધતિસર અને શુદ્ધ બનાવી આપવા માટે શ્રમ સેવ્યો છે, એ બદલ પણ હું તેઓશ્રીને અત્યંત ઋણી છું. વિષયો અને પેટાવિષયોની ચૂંટણી કરવામાં, તેમજ પુ વિગેરે તપાસવામાં સામેલાનિવાસી ન્યાયતીર્થ–તર્લભૂષણ પંડિત રતિલાલ દીપચંદ દેસાઇએ અને શુદ્ધિપત્રક બનાવવામાં ન્યાય-સાહિત્યતીર્થ મુનિરાજ શ્રી હિમાંસુવિજ્યજીએ આપેલા યોગ બદલ તેઓને ધન્યવાદ આપવો ભૂલીશ નહીં. ઉપયુક્ત બને ગુરુદેવની અસીમ કૃપા, મારા બાકીના બે ભાગ જલદી બહાર પાડવાનું સામર્થ્ય અપે, એ અંતરની અભિલાષા પૂર્વક વિરમું છું. જૈન ઉપાશ્રય, ઉદયપુર. ] કારતક સુદ ૧૧ ધર્મજયન્ત પાસકવી. સં. ૨૪૬૨, ધર્મ સં. ૧૪J મુનિ વિશાળવિજય.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy