SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 80 વિષયોની છાંટણું કરવામાં એક બીજી મુશ્કેલી પણ ભૂલવા જેવી નથી જ. ધાર્મિક વિષયો અને વ્યાવહારિક વિષને જુદા કરવા એ ઘણું જ કઠિન કામ છે, એમ મને લાગ્યું છે. માર્ગાનુસારી ગૃહસ્થોના ૩૫ ગુણો, કે શ્રાવકના ૨૧ ગુણ, નીતિ કે સદાચાર, કર્તવ્ય કે વિનયવિવેક; આ બધા વિષયો, નૈતિક વિષ જેવા દેખાવા છતાં, જેમ ધાર્મિક વિષયથી જુદા પાડી શકાય નહિ, તેમ શ્રાવકનાં ૧૨ તે, ભાવના કે ધ્યાન; પંદર કર્માદાન કે અઢાર પાપસ્થાન એ ધાર્મિક ગણાતા વિષે વ્યાવહારિક વિષયથી જુદા પાડી શકાય નહીં. એમ હોવા છતાં, આ પુસ્તકને લાભ લેનારાઓની અનુકૂળતાને માટે આ પુસ્તકમાં આપેલા બધા વિવેયને, બની શક્યું તેટલા વિચારપૂર્વક, ધાર્મિક અને વ્યાવહારિક એમ બે વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા છે. ઘપિ સુભાષિતેના સંગ્રહરૂપે સુભાષિત રત્નભાંડાગાર, સુભાષિતસુધારત્નભાંડાગાર, અને એવા અનેક ગ્રન્થ બહાર પડ્યા છે, પરંતુ એમાં મોટે ભાગે હિંદુ ગ્રંથમાને જ સંગ્રહ છે. તેમજ તે ગ્રંથે સાનુવાદ નથી. આ બે ખામી મારા આ સંગ્રહમાંથી દૂર કરવામાં આવી છે. એટલે કે હિંદુ ગ્રંથો ઉપરાન્ત જૈન ગ્રંથો પૈકીનાં સુંદરમાં સુંદર સુભાષિત આ સંગ્રહમાં જેમ વિશેષરૂપે લેવામાં આવ્યાં છે, તેવી જ રીતે દરેક સુભાષિતને અનુવાદ પણ તેની સાથે આપવામાં આવ્યું છે. એક બીજી પણ વિશેષતા આમાં છે. કોઈ પણ લોક કયાંથી લેવામાં આવ્યો છે, એ સ્થાન પણ તે ગ્રંથના પૃથ, અધ્યાય વિગેરે સાથે આપવામાં આવ્યું છે. આ વિશેષતા ભાગ્યે જ અત્યાર સુધીના આવા બીજા સંગ્રહમાં જોવાય છે. મારો આ સંગ્રહ લગભગ ચાર હજાર લેકેને છે. તેનું એક જ પુસ્તક થતાં ઘણું મોટું થઈ જવાના કારણે અને વાચકેની અનુકૂળ તાને માટે, એ બધા સંગ્રહને ચાર ભાગમાં બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પહેલો ભાગ થોડા જ વખત ઉપર બહાર પડી ચૂક્યો છે. અને આજે બીજો ભાગ જનતા સમક્ષ મૂકાય છે. આ દરેક ભાગો લગભગ ચાર ચારસો પાનાના થશે.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy