SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. આત્મબોધ કેવી થપાટ મારી ? ત્યાં યક્ષ વિભંગ જ્ઞાનથી પોતાનો પૂર્વભવ જુવે છે અને મનમાં ખૂબ દુઃખ થાય છે. મનમાં વિચાર કર્યો કે હું તો રસનાથી હેરાન થયો પણ મારા શિષ્યોને તો અટકાવું. એવો વિચાર કરી મંદિર પાસેથી જતા-આવતા સાધુઓને તે પોતાની જીભ બહાર કાઢીને બતાવતો. ઘણા સાધુ તો તેનાથી ભય પામતા. તેમાંથી એક હિંમતવાન સાધુએ આવીને પૂછ્યું કે “તું કોણ છે ? અને શા માટે જતા-આવતા સાધુને આમ જીભ બહાર કાઢીને ડરાવે છે?” તે સાંભળીને યક્ષે કહ્યું કે “ભાઈ ! હું ધર્મમાર્ગમાં પંગુ (લંગડો) થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય છું, પ્રમાદથી મૂળોત્તર ગુણોનો ઘાત કરી આ ખાળમાં યક્ષ તરીકે ઉત્પન્ન થયો છું. તેથી જીભ કાઢીને તમને બધાને ચેતાવું છું. કે રસનેન્દ્રિયનો આ ભંડો વિપાક છે. માટે તમે કોઈ રસનાને પરવશ બનતા નહિ.” ત્યારપછી સર્વ સાધુઓ રસમાં લોલુપ ન થતાં તપમાં પ્રવૃત્ત થયા. આવા સમર્થ આત્માઓ પણ રસનાના ચીકણા માર્ગે લપસી પડ્યા તો આપણું શું ગજું ? માટે રસનેન્દ્રિયનો નિરોધ કરી તેના ઉપર વિજય મેળવવા યત્નશીલ બનવું. રસને પરવશ ન થવા માટે રસની લોલુપતાથી હજાર-હજાર વર્ષના ચારિત્રને વિફળ કરી સાતમી નરકે ઉત્પન્ન થનાર કંડરીક પણ ભૂલવા જેવો નથી ! એવી જ બીજી વાત આવે છે શૈલકાચાર્યની, તે આ પ્રમાણે - શૈલક નામનું નગર છે, ત્યાં શૈલક નામના રાજા સુંદર રાજય કરે છે, રાજાને વૈરાગ્ય આવવાથી પોતાના પુત્ર મહુકને રાજય ઉપર સ્થાપન કરી પ્રવ્રજયાને ગ્રહણ કરે છે. તેમને
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy