SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ નરજન્મ દુર્લભતા તે રાધાનું વામનેત્ર તે ચપળ વીરથી પણ વીંધાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૮ દૃષ્ટાંત આઠમું (કાચબાનું) કચ્છપ દેખી પૂર્ણચન્દ્રને છૂંદમાં દૂર થયે સેવાલ, આનન્દે એ જોણું જોવા લઈને આવ્યો નિજ પરિવાર; મળી ગયે સેવાળ સુધાકર કચ્છપથી ય કદી નિરખાય; પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૯ દૃષ્ટાંત નવમું (સમોલનું) પૂર્વ પયોધિમાંહી સમોલને ધોંસરી પશ્ચિમ જલધિમાંય; દુર્ધર કલ્લોલે ખેંચાતા કોઈક સમયે ભેગા થાય, વળી સમોલ સ્વયં એ યુગના વિવર વિષે પણ પેસી જાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન! નહિં જ પમાય. ૧૦ દૃષ્ટાંત દસમું (થાંભલાનું) કોઈ કુતૂહલી દેવ મણિમય સ્તમ્ભનું ચૂર્ણ કરીને જાય, મેરુશિરે ચૂર્ણ નળીમાં નાંખી સર્વ દિશામાં એ વિખરાય; એ અણુઓને વીણી વીણી દેવે પાછો સ્તમ્ભ કરાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન! નહિં જ પમાય ૧૧ અનાદિકાળથી પરિભ્રમણ કરતા આત્માએ અત્યાર સુધી જે જે પ્રવૃત્તિઓ કરી હશે, કરતો હશે કે કરશે, તે શા માટે એમ પૂછશો તો એક જ જવાબ મળશે કે સુખ ને શાન્તિ માટે. પછી ભલેને તે ક્રિયાથી તેને ઈચ્છિત ન સાંપડે, પણ તેની અભિલાષા તો એ જ રહેવાની. હવે કદાચિત માનો કે એવી પ્રવૃત્તિથી પણ શાન્તિ મળે તોય તે કેવી શાન્તિ. અસ્થિર દુઃખમિશ્રિત અને ખંડિત જ ને ! વાસ્તવિકમાં તેને આવી શાન્તિ ઈચ્છિત છે !
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy