SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આત્મબોધ જોઈને સુનંદની પત્નીએ કહ્યું, કે “તમે સરોવરમાંથી માછલીઓ લઈ આવો. આમ પાંગળાની જેમ બેસી રહેવાથી કેમ જીવાશે? ત્યારે સુનન્દ કહ્યું કે- “પુણ્યનો ક્ષય કરનારી ને પાપને વધારનારી હિંસા નહિ કરવાનો મારે નિયમ છે.” ત્યારે સ્ત્રીએ કહ્યું કે- “તમને કોઈ સાધુએ ઠગ્યા લાગે છે. પરિવાર દુઃખી થાય છે, મરવા પડ્યો છે છતાં તમે ભક્ષ્ય-ભોજન લાવતા નથી. ભૂખે કુટુંબ મરી જશે. ત્યારે લોકમાં શું મોઢું બતાવશો ?” એમ છતાં તે કાંઈ માન્યો નહિ ને દૃઢ રહ્યો. દેઢતા એ તો કાર્યસિદ્ધિની જન્મદાત્રી છે. તેની પત્નીએ પોતાનાથી ન સર્વે એટલે પોતાના ભાઈઓને કહ્યું. કે- “તમે એને કાંઈ કહો તો ખરા કે કુટુંબ સામે તો જોવે ?” સુનન્દના સાળાઓ આવ્યા ને પરાણે તેમને સરોવરને તીરે લઈ ગયા. સુનન્ટ દેખાવ પૂરતી જાળ નાંખી ને તેમાં પુષ્કળ માછલાં આવ્યાં પણ તે બધાંને તરફડતાં જોઈને દયાપૂર્ણ તેનું હૈયું દ્રવી ઊડ્યું એટલે પાછાં પાણીમાં મૂકી દીધાં. સાંજ પડીને ખાલી જાળ લઈને તે ઘરે પાછો આવ્યો. બીજે દિવસે પણ એવું જ કર્યું. ત્રીજે દિવસે ગયો ત્યારે જાળ નાંખી તેમાં એક માછલું આવ્યું પણ તેની એક પાંખ જાળની દોરીથી કપાઈ ગઈ હતી, તે તરફડતું હતું. એ જોઈને તેનું અંતર કકળી ઊઠયું. ખાલી જાળ લઈને તે પોતાને ઘરે આવ્યો. બધાને સ્પષ્ટ કહી દીધું કે “હું કોઈપણ હિસાબે સ્વર્ગની સાંકળ ને નરકના દ્વાર સમી હિંસા નહિ કરું. તમને ફાવે તેમ કરો.” એમ કહીને તેણે અનશન કર્યું. આયુષ્ય પૂર્ણ કરીને તે રાજગૃહી નગરીમાં મણિકાર નામના શેઠને ત્યાં સુયશાની કુક્ષિએ અવતર્યો. તેનો જન્મમહોત્સવ ખૂબ ઉત્સાહ ને ઉલ્લાસપૂર્વક ઉજવાયો ને તેનું
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy