________________
સત્સંગ સંગને માટે પ્રયત્ન કરવો આવશ્યક છે. રાજાને આવતો જોઈને પોપટ અત્યંત કર્કશસ્વરે મોટેથી બોલવા લાગ્યો, “પકડો ! પકડો ! લાખ જાય છે, કરોડ જાય છે. આ શિકાર છે, લૂટો એને મારો, બહુ દિવસે તક મળી છે. એમ ને એમ કોરા ન જાય. દોડો દોડો.” આવી પુરુષવાણી પોપટને કોણે શીખવાડી ? આ સાંભળી રાજા દંગ થઈ ગયો. રાજા સાથે એના સૈનિક વગેરે હતા, તેથી ભિલ્લોનું કાંઈ ઊપજયું નહીં.
વનમાં આગળ વધતાં રાજા એક પવિત્ર ને તપસ્વી ઋષિના આશ્રમ પાસે આવ્યા. તે આશ્રમના આંગણે પણ પાંજરું લટકતું હતું, આર્યાવર્તના ઋષિ-મુનિઓ એટલે પવિત્રતાની મૂર્તિ, તેજના. ભંડાર ને સમતાના સાગર. એવા તપસ્વીના સહવાસથી પોપટમાં સંસ્કારિતા આવે એ સ્વાભાવિક છે. પોપટે રાજાને જોયા કે તરત જ કોમળ ને મધુર સ્વરે તે બોલવા લાગ્યો કે, ‘માધ્યતા પ્રાપ્યતા, આશ્રમમનક્રિયતામ્' આવા શ્રુતિ-મધુર ને કર્ણપ્રિય સ્વર સાંભળી રાજાને આનંદ ને આશ્ચર્ય થયું. તેણે પોપટને પૂછ્યું કે પેલા ભિલોને ત્યાં તારા જેવો એક પોપટ છે. તે તો ખૂબ કર્ણકટુ સ્વરો બોલે છે. અને હું આવું સુન્દર બોલે છે. આમ કેમ!
ત્યારે પોપટે કહ્યું કે રાજા વાત એમ છે કે - माताऽप्येका पिताऽप्येको, मम तस्य च पक्षिणः । अहं मुनिभिरानीतः स च नीतो गवाशनैः ॥१॥ गवाशनानां स गिरं शृणोति, अहञ्च राजन् ! मुनिपुङ्गवानाम् । प्रत्यक्षमेतद् भवताऽपि दृष्टं, संसर्गजा दोषगुणा भवन्ति ॥२॥
મારી અને તે પોપટની માતા એક જ છે, પિતા પણ એક જ છે. હું મુનિઓ વડે આશ્રમમાં લવાયો ને ભિલ્લો તેને