SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંડાણથી જોતાં દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ જ કુશલાનુબંધી કર્મ એટલે કે પુન્યાનુબંધી પુન્યનો પ્રવાહ રચી દેનારું પરિબળ છે. જે કુશળ અનુબંધ ભવાંતરમાં પણ તથાભવ્યત્વના પરિપાકની સાધનાને ફરીથી ઉજ્જવિત કરી દે છે... દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ “મોક્ષબીજ બનો એ વિધાનનો અર્થ એ છે કે આ બહુમાન ભાવ કુશળ અનુબંધવાળો બનો, જેથી ભવાંતરમાં ફરી ફરીને તે પ્રાપ્ત થતો રહે. અહીં, પુન્યની માંગણી નથી પરંતુ પુન્યના અનુબંધની માંગણી છે તે લક્ષમાં રાખવું ઘટે ! • ચાર પ્રણિધાન : શ્રી અરિહંતો અને ગુરુદેવોનો સંયોગ મળે, તેમનો બહુમાન ભાવ અને તેની પરંપરા મળે એથી પણ ઇષ્ટની સિદ્ધિ પરિપૂર્ણ નથી થતી તેથી, અહીં ચાર પ્રકારનું પ્રણિધાન સૂચવવામાં આવે છે – અરિહંત ભગવંતો અને કલ્યાણમિત્ર એવા ગુરુદેવોનો સંયોગ, તેઓ પ્રત્યે પ્રાર્થના, બહુમાનભાવ અને બહુમાનભાવનો અનુબંધ પ્રાપ્ત થાય એ પછી... (૧) હું દેવ અને ગુરુની સેવા - વૈયાવૃત્યને પાત્ર બનું જેથી તેમની સેવા સુંદર રીતે કરી શકું. (૨) સાચી સેવા તો જ થાય જ્યારે આજ્ઞાનો સ્વીકાર થાય માટે હું દેવ-ગુરુની આજ્ઞાને લાયક બનું. (૩) માત્ર લાયક બનીને અટકી ન રહું પણ તે પછી તેઓની આજ્ઞાનું સંપૂર્ણ પરિપાલન કરનારો પણ બનું... सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy