________________
कथमेतदेवमिति - निदर्शनमाह - व्याधितसुक्रियाज्ञातेन रोगितस्य शोभनक्रियोदाहरणेन ।
‘પંચસૂત્ર પ્રકાશ’ :
ઉપરના પ્રકરણમાં માર્ગગામી શ્વેત વિરાધકના ત્રણ પ્રકારો કહ્યાં. હવે માર્ગગામી શ્રુત આરાધક અંગે હિતવચન કહી રહ્યાં છે. પૂર્વે જે ત્રણ પ્રકારના માર્ગગામી શ્રુતવિરાધક કહ્યાં તે સબીજ સાપાય યોગી હતાં જ્યારે માર્ગગામી શ્રુત આરાધક નિરપાય સબીજ યોગી હોય છે.
સાપાય એટલે વિરાધનારૂપી અપાયથી યુક્ત અને સબીજ એટલે તેમ છતાં પણ સમ્યક્ત્વરૂપી બીજથી અભ્રષ્ટ. આમ, સમ્યક્ત્વરૂપી બીજ જેમનામાં વિકસેલું છે છતાં શ્રુતની વિરાધનાનો અપાય પણ જેમનામાં રહેલો છે તેવા સાધુને સબીજ-સાપાય યોગી કહેવાય.
હવે, જેઓ તેવા નથી, બલ્કે સમ્યક્ત્વથી યુક્ત છે જ, શ્રુતની વિરાધનાના અપાયથી પણ રહિત છે તેવા સાધુને સબીજ-નિપાય યોગી કહેવાય.
આવા બીજા પ્રકારના સાધુને એટલે કે સબીજ શ્રુત આરાધકને ઉદ્દેશીને કહે છે કે આવો સાધુ શ્રુત વિરાધક નથી એટલે અપાય રહિત છે. સૂત્રે જે જે વિધિ કે અનુષ્ઠાન જે રીતે કરવાના કહ્યાં છે તે તે રીતે જ કરનારો આ સાધુ છે તેથી માર્ગગામી છે, શ્રુત આરાધક છે.
શ્રુતઆરાધક અને માર્ગગામી છે તેથી તે અષ્ટપ્રવચનમાતાથી પરિપાલિત છે પ્રવચનમાતાથી સહિત છે કેમકે માર્ગ એટલે અહીં ચારિત્રધર્મ અને ચારિત્રધર્મમાં ગમન પ્રવચનમાતાની સંગત વડે જ
થઈ શકે છે.
131
-
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।