SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૩ ખંધુએ ! જીવ પ્રશંસા કરે છે પુણ્યની પણ આચરે છે પાપ. હું પ્રવાદી ! તમને સુખ ગમે છે કે દુઃખ ? ત્યારે તે કહેશે કે મને દુઃખ ન આપેા, મને ન મારો, મને દુઃખ ગમતું નથી. સુખ ગમે છે. બંધુએ ! અમે પણ તમને પૂછીએ છીએ કે તમને શું ગમે છે? સુખ કે દુઃખ ? તમને સુખ ગમતુ હોય તે બીજાને પણ સુખ આપે. જો બીજાને દુઃખ આપશે તે નરકમાં માર ખાવા પડશે. માટે કમનાં વેનનું સ્વરૂપ સમજો. કમને વેદ્યા પછી જ નિરા છે. નિરા છેલ્લી શા માટે ? બધા તત્વાનું સ્વરૂપ સમજી, અપનાવી જેટલાં કમ અ ંશે અંશે વેઢે તેટલાં કમ આત્મપ્રદેશ પરથી ખસી જાય, ચાલ્યા જાય, આનું નામ જ નિરા. માટીના વાસણમાંથી પાણી જેમ ધીમે ધીમે ઝરી જાય છે તેમ અંશે અંશે કમ ક્ષય થાય તેનું નામ નિશ. તેના બે ભેદ છે. સકામ અને અકામ. અકામ નિરા તા ૨૪ ઠંડકના જીવાને તે ઊભી જ છે. પણ સકામ નિર્જરા દુ ભ છે. પારાવાર વેદનામાં પણ સમયે સમયે સમાધિ હોય તેા નવાં કમાઁ ન બંધાય. સમભાવથી વેદ્યતાં સકામ નિર્જરા થાય. મધુએ ! આત્માના સ્વભાવ ઉર્ધ્વગતિના છે. પણ કમ રૂપી પાલીસ તેને ઉંચે જતાં અટકાવે છે. અમુક જગ્યાએ જઈ તે અટકી જાય છે. શુભ કર્મો ઉપાર્જન કરનાર જીવ ઊંચે જાય ત્યાં તેને લબ્ધિ મન પ્રાપ્ત થાય છે; ત્યાં તેની મનેાવણા એટલી પ્રમળ હાય છે કે સર્વાંસિદ્ધ વિમાનમાં બેઠાં બેઠાં તે ત્રિર્છા લાકમાં વિચરતા તીથકરને પ્રશ્ન પૂછી શકે છે. જીવાદિ તત્ત્વની વિચારણા કરતાં મનમાં સંશય થાય ત તેનુ નિરાકરણ તીર્થંકર ભગવાન મનેામન કરે છે. મનેવગણુા દ્રવ્ય આવુ... અદ્ભૂત કામ કરે છે. આપણી પાસે આ શક્તિ નથી એટલે આપણને આશ્ચય થાય. પરંતુ લેાકમાં આવા પરમાણુએ છે. પુણ્ય હાય તા તમને પણ પ્રાપ્ત થાય. આજે તમે ટેલીફોન દ્વાશ વાતચીત કરી શકે છે. તે આ તા આધ્યાત્મિક શક્તિ છે. પુદ્ગલના સ્વભાવ ગતાગતિ કરવાના છે. તે પછી વાતચીત કરી શકાય તેમાં આશ્ચય શું છે ? જ્ઞાની કહે છેઃ સારાં કર્મો કરશેા તા તમને પણ સારાં ફળ મળશે. રાજા હાય, શેઠ, સેનાપતિ કે અધિકારી હાય, પણુ ખરામ કમ કરનારને પાપકમનાં ફળ ભેગવવાં પડે છે. મનુષ્યગતિમાંથી સાતમી નરકમાં જવાનું પણ અને, સારાં કર્યાં કરે તે ઉચ્ચ ગતિ, જાતિ, પુણ્યના ઠાઠ અને અનુત્તર વિમાન મળે, ખરાબ કર્યાં કરે તે ૩૩ સાગરાપમની સ્થિતિએ સાતમી નરકમાં ચાલ્યા જાય. જેવાં કમ તેવી ગતિ. જીવની ગતિ અપ્રતિહત્ છે. તેને કોઈ રોકી શકતુ નથી. પ°ત ભેદીને ચાઢ્યા જાય. પાણીની આરપાર નીકળી જાય, - ગ્નિની જવાળાએ સાંસરેશ સરકી જાય. પણ આપણે તેમ કેમ નથી કરી શકતા ? તેનું શુ' કારણ છે ? આપણને તેમ કરતાં ઔદારિક શરીરનું બંધન અટકાવે છે. ઔદાશિ શરીર પડી જાય ત્યારે તેજસ, કાણુ શરીરને કઇ પણ આડું' આવતું નથી. દેવાનુપ્રિયા ! ચૈતન્ય શક્તિ અખંડ અને અવિનાશી છે. આત્મા આ લેાકમાં જ્યાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy