SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ સમજી કુટુંબીજનેએ મરનાર માટે ખડકેલી ચિતામાં પિતે બળી જાય છે, છતાં એ કાયા મરનારની સાથે તે જઈ શકતી નથી. ટૂંકમાં કાયા અહિં જ રહી. દેવાનુપ્રિયે! જીવતાં સુધી તેની ખૂબ સંભાળ રાખી તેવી ચાર કકારની ચેકડીથી તજાઈ ગયેલા, એકલા અટૂલા બની ગયેલા જીવને ધણી કોણ? તે જ્ઞાની કહે છે કે જો શનિ ર જ શી ? તે જીવે જીવન પર્યત જેવા કર્મો કર્યા હોય તે કર્મો તે જીવને કમનુસાર ગતિમાં ગાયવત્ દેરીને લઈ જાય. ત્યાં તે જીવ બધાની આશા છેડીને અસહાયપણે એકલે જાય છે. મેહાંધ બનેલા છને આ સજા ભોગવવી પડે છે, માટે દરેક છોને ધર્મનું શરણ અંગીકાર કરવાની જરૂર છે. તમે ધર્મ નહિ કરે તે તમારા વિના ધર્મ નિર્માલ્ય નહિ ગણાય, પણ ધર્મ નહિ કરનાર ધર્મ વિનાને નિર્માલ્ય ગણાશે. આ સાદી અને સીધી વાત જે સમજે છે તેઓ ધમ તરફ ઉદાસીનભાવ નથી રાખતા. એટલે ધર્મસન્મુખ થયા બાદ ધર્મના માર્ગે ચઢેલા માર્ગાનુસારી જીવને કારની ચેકડીમાંની ચેથી ચીજ કાયા પણ અસાર લાગે છે. અને દેવ ગુરૂ અને ધર્મને પિતાના સાચા સંબંધી માને છે. કારણ કે પિતાનું હિત સાધવા માટે ધર્મનું સેવન અને શ્રવણ કરવા માટે ડગલે ને પગલે દેવ-ગુરૂને ધર્મની જરૂર પડે. પણ બંધુઓ ! હજુ અજ્ઞાની છે પરમાં સુખ માની રહ્યા છે. રેડિયો દ્વારા ગીતે સાંભળવામાં, બગીચાની અંદર મઘમઘતી સુગંધ લેવામાં, જમતી વખતે તીખા અને તમતમતા ભેજન ખાવામાં, આવેશાન ઈમારત ચણવામાં, દુકાનના ચેપડા લખવામાં, સેફ વઝીટ બેંકમાં નાણું મૂકવામાં, એરકન્ડીશન રૂમમાં આરામ કરવામાં, તમે સુખ માની રહ્યા છો પણ યાદ રાખજો કે આ સાધને છેવટે દુઃખજનક છે, ક્ષણભંગુર છે, નાશવંત છે અને નશ્વર છે. છેવટે વિયાગની વેદના આપનાર છે. પરલોકમાં તમારી સ્ત્રી પૈસાને મનીઓર્ડર નહિ કરી આપે. સગાંવહાલાઓ ટેલીફોન દ્વારા તમને શાંતિને સંદેશ નહિ આપી શકે. કોઈ હિતસ્વી તમારા દુઃખના ભાગીદાર નહિ બની શકે. અહીંથી કોઈ સમાચાર આપવા તાર કે ટેલીગ્રામ નહિ કરે. નેકરચાકરે, વ્હાલી પત્ની, માલમિલ્કત આ બધું તમે મારું માની રહ્યા છે પણ યાદ રાખજે કે આ શરીર છોડીને જીવ જ્યારે પરલોકમાં જાય છે ત્યારે તેના કર્મો ભગવતી વખતે આમાંના કેઈ તેને છોડાવવા જતું નથી. તેના આંસુ લુછનાર પણું ત્યાં કોઈ નથી. ગમે તેટલા હોંશિયાર હશે તે પણ એક દિવસ અહીંથી જવાનું છે તેમાં તે શંકા જ નથી. માટે અનાદિકાળથી પુદ્ગલ તરફ જે દષ્ટિ દોડી રહી છે તેને પાછી વાળીને આત્મા તરફ કરવાની જરૂર છે. આજે અજ્ઞાનદશામાં જીવાત્માએ જેલે પૈસાને સત્કાર્યો છે એટલે મને સત્કાર્યો
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy