SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ فيق છઠ્ઠ પૌષધ કરીને બેસી ગયા હતા. તમને એમ થશે કે ભગવાન આસો વદી અમાસને દિવસે જ મેક્ષમાં જશે એવી ખબર કયાંથી પડી? આ પ્રસંગ એવી રીતે ઉપસ્થિત થયે છે કે જ્યારે મંખલીપુત્ર શાલકે ભગવાન ઉપર તેજુવેશ્યા છોડી ત્યારે ગોશાલકનું ભાવિ ઈને સર્વજ્ઞ ભગવંતના મુખમાંથી શબ્દો સરી પડયાં. “હે મંખલિપુત્ર ગોશાલક! હું તે આ પૃથ્વી ઉપર હજુ સાડા સેલ વર્ષ સુધી ગંધહસ્તિની જેમ વિચરવાને છું. પણ તારું તે આજથી સાતમે દિવસે મૃત્યુ છે. કંઈક વિચાર કર. સર્વજ્ઞના વચનમાં કદી શંકા હોય જ નહિ. સત્ય જ હોય. અઢાર દેશના રાજાઓ આજના દિવસે સાંજે પાવાપુરીમાં આવ્યા હતા. કારણ કે ચૌદશ-પાખીને છઠ્ઠ કરવાનું હતું. એટલે આગલા દિવસે તે આવી જવું જ પડે. આ રાજાએ એકલા જ નહોતા આવ્યા. પણ એમની સાથે એમને સમગ્ર પરિવાર, એમનું સૈન્ય-લશ્કર બધું લઈને આવ્યા હતાં. તે રાજાઓ પોતાના સૈન્ય સહિત સાંજના સમયે પાવાપુરીમાં ભગવાન પાસે આવી રહ્યાં હતાં. તે સમયે જંગલમાં ચરવા ગયેલી ગાયનાં ધણ ગામમાં પાછા ફરી રહ્યાં હતાં. પણ આ રાજાઓનાં મેટ સેજે અને તેમનાં હથિયાર જોઈને ગાય અને ભેંસના ધણ ભડકી ગયા. ગાય ને ભેંસો ભાગાભાગ કરવા લાગી ત્યારે શેવાળીયા ગામના લોકોને પૂછે છે, આજે આપણું ગામમાં શું છે? આટલું મોટું સૈન્ય કેમ આવ્યું છે? ત્યારે ખબર પડી કે આજે પાવાપુરીમાં અઢાર દેશના રાજાઓ પિતાને સૈન્ય–પરિવાર લઈ ભગવાનની પાસે આવ્યા છે. સૈન્યને જોઈને ગાયનું ધણ દેડવા માંડ્યું તે ઉપરથી આજના દિવસનું નામ ધણતેરસ પડયું. એ ધણુ શબ્દમાંથી અપભ્રંશ શબ્દ બનીને ધણનું “ધન’ બન્યું. અને તમે બધા ધનતેરસ માની બેઠાં છે. આજના દિવસે અમારા કંઈક શ્રાવક બંધુઓ ઉંબરામાં કંકુના સાથિયા પૂરી ધનની પૂજા કરીને આવ્યા હશે. રૂપિયાને દૂધથી ધોવાથી અને પૂજા કરવાથી ધન નહિ મળે. સાચું લક્ષમીપૂજન તે લક્ષમીને સદુપયોગ કરવાથી થાય છે. કારણ કે લક્ષ્મીને તિજોરીમાં પૂરી સખશે તો તે પણ અકળાઈ કંટાળી જાય છે. લક્ષ્મીને ભાગ્ય દાનથી ખુલે છે. પોપકારમાં જેટલી લક્ષમી વપરાય તે જ લક્ષમીની સાચી પૂજા છે. બાકી લમીને ભેગી કરવામાં કોઈ વિશેષતા નથી. તમે તે લક્ષમી કેમ મેળવવી, કેમ ભેગી કરવી એમાં જ જીવનની વિશેષતા સમજે છે. તમારે મન જેટલી ધનની વિશેષતા છે એટલી ધર્મની નથી. ભરત મહારાજાને એકી સાથે ત્રણ વધામણી આવી. ૧) આયુધશાળામાં ચક્રીન ઉત્પન્ન થયું. ૨) ભગવાન ઋષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૩) તેની પટ્ટરાણીએ પુત્રને જન્મ આપે. આ ત્રણે ય વધામણીએ એકી સાથે આવી. હવે તમે સાચું બેલજે. કઈ વધામણીને પહેલી વધાવે. માની લે કે તમારી રાજગૃહી સમાન રાજકોટ નગરીમાં જ તમને આ રીતે ત્રણ વધામણીએ એકી સાથે આવે કે ૧) મહાન-પવિત્ર, જ્ઞાની-ધ્યાન
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy