SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ પર શેઠને આશ્વાસન આપવા આવ્યા અને કહેવા લાગ્યા કે કુદરત ક્રૂર છે. ભગવાને ઘડપણમાં તમને અન્યાય કર્યાં. માટી ઉમરે તમારા એકના એક યુવાન દીકરાને છીનવી લીધા. શેઠ ખૂબ રડે છે. હવે એને કયાંય ચેન પડતુ નથી. પુત્રને ગુજરી ગયા થાડા દિવસ થઈ ગયા. એક દિવસ શેઠના વૃદ્ધ મુનિમજી શેઠની પાસે બેઠા છે. તે વખતે શેઠે કહ્યુમુનિમજી ! મને તે હવે ભગવાન ઉપર પણ શ્રદ્ધા નથી. ધર્માંમાં પણ મારું મન લાગતું નથી. મને જીવન ઝેર જેવું લાગે છે. સમય જોઈ ને મુનીમજી કહે છે શેઠજી ! જે આપને ખાટું ન લાગે તે એક વાત કહું. વાત કડવી પણ સત્ય છે. શેઠે કહ્યું- સાચું હશે તે મને ખાટુ' નહિ લાગે. વિના સંકોચે કહેા. મુનિમજીએ જૂના ચાપડા ખેાલીને કહ્યુંજુઓ, આ તારીખે ડોશીમાએ આપણે ત્યાં ત્રીશ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ આટલા વખત પછી ડોશીમા મરી ગયા. એ ડેાશીના ગયા પછી ખરાખર નવ મહિને આપને ત્યાં પુત્રના જન્મ થયા છે. એ મૂડીનું વ્યાજ આટલું થયું. હવે હિંસામ ગણા. પુત્રને ઉછેર્યાં, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા અને મરી ગયા ત્યાં સુધીના ખર્ચના સરવાળે માંડશે તે એ ડોશીની વ્યાજ સહિત મૂડીના હિસાખ ચૂકતે થઈ જશે. સરવાળે એક પણ પાઇ વધતી નથી ને ઘટતી પણ નથી. જે દિવસે દીકરો મરી ગયા તે જ દિવસે હિંસાખ પૂરા થાય છે. શેઠજી! પુત્રની પાછળ રડો છે, ગૂર છે પણ તમે એમ ન માનશે। કે એ પુત્ર પ્રેમ આપવા કે તમારી સેવા કરવા આવ્યા હતા. એ તા ડેશીના આત્મા હિંસામ લેવા આવ્યા હતા. એનું લેણું પતી ગયુ એટલે એ ચાલ્યા ગયા. તમે ડોશીને અન્યાય કર્યાં એના બદલામાં એ પત્નીને મૂક્તા ગયા. હવે તમે જોયા કરો ને રાયા કરો. તમે માનતા હૈ કે ડોશીમાને છેતરી લીધા એટલે પતી ગયું. પણ કમ કોઈને છોડતા નથી. બીજે થાડી ભૂલચૂક ચાલશે પણ કમના ખાતામાં તેા હિસાબ ચાખ્ખા જોઈશે. એક પાઇની પણ ભૂલ નહિ ચાલે. એકબીજાના સબધાની પાછળ અનેક પ્રકારના ઋણાનુષધ હોય છે. જીવે તેા માત્ર દેવું જ ચૂકવવાનુ છે. લેણદારા પતિરૂપે આવે, પત્નીરૂપે આવે, માતા-પુત્ર-ભાઈ-ભગિની, પાડાશી, મિત્ર કે ભાગીદાર રૂપે આવે, પણ દેવુ' ચૂકવાઈ ગયા પછી લેણદાર એક પળ પણ ઉભા નહિ રહે. લેણાં-દેણાં પતી જાય એટલે સૌ સૌના રસ્તે પડી જાય છે. માટે માણુસ આકારને નહિ પણ એની પાછળ રહેલા નિરાકારને અનુભવે ત્યારે જ અને પેાતાનું દર્શન થાય છે. અને પછી દરેક પરિસ્થિતિમાં સમત્વથી રહી શકે છે. મુનિમના કહેવાથી શેર્ડની આંખ ખુલી જાય છે, અને પેાતાની ભૂલ સમજાતાં જીવનના પટા થઇ જાય છે, અહી' પણ છે જીવાને પૂર્વના ઋણાનુબંધી સમ ́ધ છે. એક પછી એકને જાગૃ કરે છે. એ પુત્રો ને પિતા જાગી ગયાં છે. હવે પત્નીને ભૃગુ પુરેાહિતે કહ્યું કે મારે પણ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy