SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ તેટલી છેતરપિ’ડી, કરી, ભેળસેળ ચલાવા, ઘરાકને ખેતશે પણ અહી તમારી એ ચાલાકી નહિ ચાલે, કદાચ અહીંથી તમે હોંશિયારી વાપરી છૂટી જશો પણ કેમ રાજાના સજાન માંથી ર છૂટી શકા. ત્યાં તે પાઈ પાઈના હિસાબ ચૂકવવા પડશે, - એક યુદ્ધ ડાશીમાં હતા એને સતાન ન હતાં. પાતે એકલા હતાં. એને થયું કે માં ઘગીના અને રાચરચીલુ` મારે એકલીને બહુ શુ' કરવુ` છે ? જરૂરિયાત પૂરતી ચીજો સખીને, દાગીના વિગેરે વેચીને ડાશીમાએ' પૈસા ભેગા કર્યાં. કુલ રૂપિયા ૩૦,૦૦૦ની કમ ભેગી કરીને એક ધનવાન શેઠને ત્યાં થાપણ તરીકે મૂકી. દર મહિને ૩૦૦] રૂ. વ્યાજ મળે તેમાં ડેાશીમા પેાતાનુ ગુજરાન ચલાવતા હતા. વર્ષો સુધી આ રીતે ચાલ્યું. છેવટે ડોશીમા ખૂબ વૃદ્ધ થઈ ગયા એટલે શેઠને કહે છે શેઠજી! હવે મને મારા રૂપિયા ૩૦,૦૦૦ (ત્રીશ હજાર) વ્યાજ સહિત પાછા આપી દો, કારણ કે હવે મારી ઉંમર થઇ ગઈ છે. કયારે કાળ રાજાની સ્વારી આવશે તેની ખબર નથી, મારે કાઈ ખાનાર નથી, તે મારા હાથે જ પૈસા દાન-પુણ્યમાં વાપરી નાખું. આ વખતે શેઠને નાણાંની ભીડ હતી. એટલે કહયું' : માજી ! હજી તે! તમે એકદમ મરવાના નથી. પૈસા છૂટા થશે એટલે બે ચાર મહિનામાં આપી દઈશ. પાછળથી શેઠની દાનત બગડી. એના મનમાં વિચાર આવ્યા કે ડાશીમા તા એકલા જ છે. આટલી મેાટી રકમ લઇને ઉડાડી દેશે. એના કરતાં એ મરી જાય તે બધી રકમ મારે ઘેર રહેશે. માટે દિવસ ભલે લ ખાતા. ડાશીમા તે પૈસાની માંગણી કર્યાં કરતા ને શેઠ બે દિવસમાં આપીશ, ચાર દિવસમાં આપીશ એમ વાયદા આપતા ગયા. છેવટે ડેાશી તા દેવલાક પામ્યા. ડોશીના મૃત્યુના સમાચાર સાંભળી શેઠને ખૂબ આનંઢ થયા. ત્રીશ હજાર રૂપિયાની ગાંસડી એમ ને એમ મળી ગઈ. ઘેર જઈને એની પત્નીને કહે છે, આજે તે ક્રૂસાર બનાવ. ખૂબ આનંદ ના દિવસ છે. કારણ કે હુ' કંઈ ચારી કરવા ગયા નથી. અન્યાય કર્યાં નથી. ડેાશીમા મરી ગયા ને એના રૂપિયા મળ્યા છે. આ શેઠે પેાતાની ભૂલને ભૂલ તરીકે ન માનતાં સદ્ગુણ માન્યા. હવે એ આગળ કયાંથી આવી શકે! શેઠને આનંદના પાર નથી. થાડા મહિના પછી શેઠના ઘેર પુત્રના જન્મ થયેા. શેઠ કહે છે મારે માટે આ નવું વર્ષ સારું એઠું છે. આ વર્ષે તા લાભ—લાભ ને લાભ છે. એક તા પૈસા મળ્યાં. પુત્ર ન હતા તે પુત્ર મળ્યા. ખૂબ લાડકોડૅ પુત્રને ઉછેર્યાં, માટી થતાં એને પરણાવ્યા. ઘરમાં વહુ આવી. પરણ્યાની પહેલી રાત્રે જ આ યુવાન પુત્રને એકાએક પેટમાં શૂળના રાગ થયા અને એકના એક પુત્ર મરી ગયા. શેઠ શેઠાણી ખૂબ કલ્પાંત કરે છે. અરેરે....દીકરા ! તારે આમ જ ચાલ્યા જવુ હતુ તે શા માટે પરણ્યા અમને ઘડપણમાં આ થાપણ સાચવવાની મૂકીને ગયા ! પુત્રના વિયેાગે ખૂબ ઝૂરે છે. શેઠની જિંદગી ઝેર જેવી થઈ ગઈ.જીવનમાં હવે કાંઈ રસ ન રહયેા. સહુ સગાં સ્નેહી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy