SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન.નં. ૮૯ સુદ ૩ને શનિવાર તા. ૧૭-૧૦-૭૦ આ વીતરાગની વાણી તે જીવને એકાંત કલ્યાણકારી છે. પણ વર્ષો સુધી સાંભળ્યા જ કરશે તેથી તમારું કલ્યાણ નહીં થાય. પણ શ્રવણ કર્યા પછી ચિંતન કરવું જોઈએ. ચિંતન કર્યા પછી આચરણમાં ઉતારે તે જ કલ્યાણ થઈ શકે. શ્રવણથી જે જ્ઞાન થાય છે તેને મહાન પુરૂષ શ્રતજ્ઞાન કહે છે. અને શ્રવણ પછી ચિંતન થાય તેને ચિંતનજ્ઞાન કહેવાય છે. અને ચિંતન પછી અંતરાત્મમાં પરિણમન થાય તેને ભાવજ્ઞાન કહેવામાં આવે છે. શ્રવણ એ પાણી જેવું છે, કારણ કે તરસ્ય માણસ પાણી પીવે તે ડીવાર તૃપ્તિ થાય. ડીવાર પછી તરસ તે લાગવાની જ છે. ચિંતન એ દૂધ જેવું છે, કારણ કે દૂધ પીવાથી જે તૃપ્તિ થાય છે તે પાણી કરતાં લાંબા કાળ સુધી ટકે છે. અને ભાવ જ્ઞાન અમૃત જેવું છે, કારણ કે ભાવજ્ઞાન રૂપ અમૃતનું પાન કરવાથી સદાને માટે તૃપ્તિ થઈ જાય છે. એક જ વખત વીતરાગ વાણીનું શ્રવણ કરીને રોહિણી ચાર, અર્જુન માળી આદિ પાપીમાં પાપી છે પણ જીવનને ઉદ્ધાર કરી ગયાં છે. તે તમે તે કેટલાં વર્ષોથી વીતરાગની વાણી સાંભળતા આવ્યા છે, અને હજુ સાંભળ્યા જ કરે છે, તે તમારા જીવનને ઉદ્ધાર થે જ જોઈએ. " ભગવાને મેક્ષમાં જવા માટેના ચાર સાધને બતાવ્યા છે. ના ૧ રન વેર, વર ર તા તા ! તા gણ મોતિ જન્નતો, સિદ્દેિ વહેંદ્ધિ ઉ. અ. ૨૮-૨ સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એજ મેક્ષ માર્ગ છે. એમ સર્વજ્ઞ જિનેશ્વર ભગવતેએ કહ્યું છે. તત્વાર્થ સૂત્રમાં વાચક ઉમાસ્વાતિજીએ પણ ચારિત્રમાં તપને રામાવેશ કરીને કહ્યું છે કે સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. સમ્યગ જ્ઞાનથી જીવ જગતના ભાવેને યથાર્થ રીતે જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે. અને ચારિત્રથી સ્વરૂપમાં રમણતા કરે છે. અને તપથી કર્મોને બાળી આત્માને શુદ્ધ કરે છે. મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને જીવે મોક્ષમાર્ગની આરાધના કરી નથી. એટલે અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ જીવે એટલે પુરૂષાર્થ સંસાર-સુખની સામગ્રી પ્રાપ્ત કરવામાં કર્યો છે તેનાથી અલ્પ પુરૂષાર્થ પણ જે મોક્ષ માટે કરે તે અલ્પકાળમાં એ મોક્ષ પામી જાય છે. પણ પુરૂષાર્થ ઉગ્ર અને સમ્યફ હોવું જોઈએ. મોક્ષમાર્ગની પ્રાપ્તિ ફક્ત મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. અખૂટ વૈભવની વચ્ચે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy