SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પાળવે તે સમુદ્રદત્તને મુખ્ય આદર્શ હતે. એટલે એની ભાવના એવી હતી કે સંસારના બંધને બંધાયા છીએ પણ પત્નીને જેટલી મોડી તેડીશું તેટલું બ્રહ્મચર્ય વધુ પળાશે. એટલે એ પત્નીને તેડવાની એને ઉતાવળ ન હતી. પણ મેહના દલાલ સગાવહાલાંઓ એને અર્થ જુદો કરવા લાગ્યા. સમુદ્રદત્તને એ કન્યા ઉપર પ્રેમ નથી. મોટે ભાગે દુનિયા મોહ ઘેલી હોય છે. એને આત્મચૈતન્ય અને તત્ત્વ પ્રકાશનાં જીવનના સાત્વિક આનંદની ખબર કયાંથી હોય? જિનમતી પણ એવી જ રીતે તને પ્રકાશ પામેલી હતી. જેની રમણુતા જિનેશ્વરમાં જ છે એવી જિનમતીના વિચારે પણ સમુદ્રદત્તને મળતાં જ હતાં. - જ્યારે લોકોમાં આવી વાત થઈ ત્યારે સમુદ્રદત્ત પિતે જ પિતાના એક નેકરને સાથે લઈને પત્નીને તેડવા માટે જાય છે. તે સમયમાં ગાડી–મોટર આદિ વાહનની સગવડ ન હતી એટલે ચાલતે જાય છે. ચાલતાં ચાલતાં વન-વગડામાં એક ઝાડ નીચે સમુદ્રદત્ત સૂતો છે. પેલા નોકરને બેસી રહેવું ગમતું ન હતું, એટલે બેઠે બેઠે જમીન દવા લાગ્યા. પિચી જમીન હતી એટલે જલ્દી ખાડો પડી ગયે. તેની અંદર એણે એક સેનાને ચરૂ દાટેલો છે. એ જોઈને નેકર હરખાવા લાગે. સમુદ્રદત્ત એકદમ જાગી ગયે. એની દષ્ટિ એ ખાડા તરફ જતાં એણે કહ્યું-તું આ શું કરે છે? ભાઈ, એને દાટી દે, આ તે લેભનું કારણ, ઉન્માદ વધારનાર અને આરંભ-સમારંભથી જીવને વધ કરાવનાર છે. વગર મહેનતનું પરાયું ધન ખુબ અનર્થ કરાવનાર છે. સમુદ્રપાળના જીવનમાં ચૈતન્ય ધબકારા કરી રહ્યું હતું એટલે એને આવા વિચાર આવ્યા. જેને ચેતનદેવ ઉંઘતે હોય છે એના વિચારે આનાથી તદ્દન જુદા હોય છે. : ચેતનદેવની પાસે ચૈતન્ય શક્તિ તે છે જ. પણ કયારેક એ અંદરથી ધબકારા કરતી હોય છે અને કયારેક એ સૂતેલી હોય છે. જ્યારે પાપથી દૂર રહેવાનું મન થાય ત્યારે ચૈતન્ય જાગતું હોય છે, અને જ્યારે પાપમાં જ મગ્ન રહેવાનું મન થાય ત્યારે ચૈતન્ય ઉંઘતું હોય છે. ચૈતન્યને ધબકતું રાખવા માટે જ આ શ્રેષ્ઠ માનવનો ભવ મળે છે. એને જેમ તેમ ગુંચા નહિ. * આ નેકર જડને રાગી છે. એટલે એને તે પેલા ચરૂમાં જ આનંદ આવતો હતે. પણ સમુદ્રદત્તના વચન સાંભળી એને મનમાં એમ થયું કે નકકી ધન જોઈને શેઠની દશા બગડી છે. એને આ ચરૂ લઈ લે છે, અને ઉપરથી ધર્મની વાતો કરીને સફાઈ અતાવે છે. પણ હું કંઈ એમ ધન જવા દઉં તેમ નથી. એમ વિચાર કરી એ વખતે સર્કરાનું ગામ નજીક આવતાં સમુદ્રદત્ત કહે છે ભાઈ! હું અહીં ગામ બહાર થોડીવાર કું છું. તું આગળ જઈને મારા સસરાને ખબર આપ કે તમારા જમાઈરાજ આવે છે. *. શક્કી આશ થાય એટલે જવું તે પડે જ, પણ એના મનમાં પિલા જડને રંગ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy