SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત એક ગરીબ સાત દિવસને ભૂખે માણસ ગૃહસ્થીના આંગણે ઉભા ઉભે કલાકથી રેટીના ટુકડા માટે કરગરે છે, પણ કોઈ એને રોટલીને ટુકડે આપતું નથી. એટલે તે આગળ ગયે. અને બીજા ગૃહસ્થના આંગણામાં આવીને ઉભો રહ્યો. એ ઘરમાં બે સંતે ગૌચરી માટે પધારેલાં છે. ઘરના માણસો મહારાજને વંદન કરે છે પધારો પધારે' કહી તેમને આદર સત્કાર કરે છે. અને લાડવાનો થાળ લઈને વહેરા છે. મહારાજ કહે છે બસ-બસ, અમારે જરૂર નથી. તો પણ ગૃહસ્થ ખૂબ આગ્રહ કરીને એમને લાડવા વહેરાવે છે. બહાર ઉભેલે ભિખારી આ બધું જોવે છે. અને મનમાં વિચારે છે કે હું કલાકથી કરગરું છું, છતાં મને કોઈ લૂખી રોટીને ટુકડો પણ તું નથી અને આ સાધુઓ ના પાડે છે છતાં એમનું પાત્ર લાડવાથી ભરી દીધું. આવા મહારાજ થવું તે બહુ સારું. બીજું તો ઠીક, પણ આ ઘરઘરમાં “આપો મા-બાપ, આપે મા-બાપ એમ કરગરવું તે ન પડે ને? બંને મહારાજ ગૌચરી કરીને પાછા ફર્યા. પેલો ભિખારી એમની પાછળ પાછળ જાય છે. રસ્તામાં કોઈને ન દેખતાં મહારાજ એકલા પડયા એટલે કહે છે મહારાજ ! તમારા પાત્રમાં તે ખૂબ લાડવા આવ્યાં છે. હું સાત-સાત દિવસને ભૂખ્યો છું. મેં લાડ કદી ખાધે જ નથી માટે મને કૃપા કરી એક લાડે આપે. મહારાજ કહે છે ભાઈ! અમારો લાડ બહુ મેં છે, તને ન પચે. જો અમારો લાડ ખાવું હોય તે અમારા જેવા સાધુ બની જાવ તે લાડે મળે. ભિખારી લાડ ખાવાની લાલચે સાધુ બનવા તૈયાર થયે. તે કહે છે મહારાજા મને તમારા જેવો સાધુ બનાવી દે. મહારાજ કહે છે ભાઈ ! અમારા ગુરૂદેવ ઉપાશ્રયમાં બિરાજે છે, તું એમની પાસે ચાલ. યોગ્ય લાગશે તો એ તને દીક્ષા આપશે. ભિખારી તે સાધુની સાથે ઉપાશ્રયમાં આવ્યું. ગુરૂ ખૂબ જ્ઞાની હતાં. એમના મતિ અને શ્રતજ્ઞાન ખૂબ નિર્મળ હતાં. જ્ઞાન વડે જાણી લીધું કે આ કોઈ સુપાત્ર જીવ છે. એને અત્યારે ખાવાની જ ભૂખ છે પણ પછી એનું જીવન સુધરવાનું છે. એટલે સંઘની અનુમતિ લઈને તેને દીક્ષા આપી. કપડાં પહેરાવી કરેમિ ભંતેને પાઠ ભણાવ્ય. ગુરૂ, શિષ્યને કહે છે કે પહેલાં તમે ગૌચરી ખાશે નહિ. પહેલાં નવદીક્ષિત સંતને જેટલું ખાવું હેય તેટલું ધરાઈને ખાઈ લેવા દે. જે તુરતને સાધુ બને છે એને આહાર કરવા બેસાડ્યો. એક તે સાત દિવસને ભૂખે છે. વળી ગરીબ હતો એટલે ભારે ખેરાક તે કદી ખાધ જ ન હતું. એની હાજરી લૂખુપાખુ પચાવે તેવી થઈ ગઈ હતી. એને મિષ્ટાન્ન ખાવા મળે પછી બાકી શું રહે? એણે તે સારી રીતે લાડવા ઝાપટયા. હોજરી સંકેચાઈ ગયેલી. તેમાં ભારે પદાર્થ વધુ પ્રમાણુમાં પડે એટલે આકુળ વ્યાકુળ થઈ જવાય. ખૂબ ધરાઈને ખાઈ લીધુ: પણ પછી તે અકળામણ થવા લાગી. પેટમાં સખત દુખાવે ઉપડયો. શ્રાવકોને ખબર
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy