SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પર સાતમા માળે મારે શાલિભદ્ર રહે છે. સ્ત્રીઓના આવાસમાં થઈને આપનાથી ન જઈ શકાય. હું શાલિભદ્રને નીચે બોલાવી લાવું છું. તેના ઘરને બધે વહીવટ માતા કરે છે. તે દીકરે માતા વહીવટ કરે એ માતાની કેવી ઉદારતા ! આજના મા-દીકરામાં કેવું વર્તન હોય છે ! તે તે જરા તમે સંસારમાં શેધજે તે ખરા ! જે તમારે સંસારને સ્વર્ગ વિમાન બનાવે છે તે સમ્યક દષ્ટિ બને. સમ્યકરષ્ટિ એટલે ત્યાગન પિપાસુ, ત્યાગને જાપ કરનાર” બંધુઓ ! તમે પણ ત્યાગના પિપાસુ બનો અને રાગને લાત મારજે. જે સંસારના રાગના રસીયા બનશે તે ચતુર્ગતિ રૂપ સંસારમાં રખડશે. ભદ્રામાતા શાલિભદ્રની પાસે જાય છે. માતાને જોઈ શાલિભદ્ર વંદન કરે છે અને પૂછે છે. માતાજી! કયા કારણથી પધાર્યા? માત કહે છે-હે પુત્ર! શ્રેણિક આવ્યા છે માટે તું નીચે ચાલ. શાલિભદ્રે કહયું- માતા ! એમાં મને શું પૂછે છે! જેમ રાજ તમે તમારી મેળે કરે છે તેમ કરી લો અને નાખો વખારે. માતા કહે છે ભાઈ! શ્રેણિક એ કરીયાણું નથી કે વખારે નંખાય. આ તે આપણા ગામના રાજા છે. મગધ દેશના માલીક છે. આપણા નાથ છે. તે આપણી ફરજ છે કે નીચે આવી એમનું સત્કાર-સન્માન કરવું. શાલિભદ્ર વિચારે છે કે નાથ ! અને એ પણ મારા ! હું મનુષ્ય અને તે પણ મનુષ્ય. જરૂર મારા પુણ્યમાં ખામી છે. મારા નાથ તે ભગવાન મહાવીર એક જ છે. આ નવા નાથ વળી કોણ! હવે હું એવાં કાર્ય કરું કે નાથ જ ન રહે. શાલિભદ્રની દશા પલટાઈ ગઈ. એને બધું ખોટું ભાસ્યું. અને માતાને કહયું હું આવું છું. પણ આટલા શબ્દ માત્રથી જ દશા બદલાય અને રસ્તે પ્રયાણ કરવા માંડે એનું શું કારણ! એની પાસે પ્રલેને તે ઘણાં હતાં. આ લેકમાં પણ તે દેવતાઈભેગ ભોગવતે હતે. જે શાલિભદ્ર ધારત તે કહી શકત કે માતા! જાવ, કહી દે કે માલિક ન જોઈએ. એને થાય તે કરી લે. પિતાના પિતા ગભદ્ર શેઠ દેવ હતા, તેની પાસે લશ્કર મંગાવી લડી શકત, પણ એ બાલીશ વિચાર ન આવ્યું, કારણ કે તે સમ્યકષ્ટિ આત્મા હતા. શ્રેણિક મહારાજા પણ અવિરતિ સમ્યક દષ્ટિ હોવા છતાં પ્રભુ મહાવીરના પરમ ભક્ત હતા. માતાના કહેવાથી શાલિભદ્ર નીચે આવ્યા. દેવકુમાર જેવા સુકોમળ શરીરવાળા શાલિભદ્રને જોઈ રાજા શ્રેણિકને ખૂબ પ્રેમ જાગે. પ્રેમથી પિતાના ખેળામાં બેસાડ. આજે તમારા ઘેર કઈ રાજા તે આવે જ નહિ પણ કોઈ મેટા અમલદાર આવે અને તમારું સન્માન કરે તો ! અમલદારની ઓળખાણ થતાં તમે બેલવા મંડી પડે કે અમલદાર મારા હાથમાં છે. આમ કરું ને તેમ કરું. પછી શું ! મગધ દેશના માલિક શ્રેણિક મહારાજા શાલિભદ્રને પૂછે છે. કેમ છે? શાલિભદ્ર કહે છે કે દેવ, ગુરૂ અને ધર્મના પ્રતાપથી આનંદ છે, પણ આપની કૃપા જોઈએ. દેવ, ગુરૂ અને ધર્મનું વચન સાંભળી રાજા વિચારે છે કે આવી ભેગની અવસ્થામાં પણ દેવ, ગુરૂ અને ધર્મને ભૂલતે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy