SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ પા હું રાજન્ ! તું ચેતી જા. તારા માથે કાળ ભમી રહ્યો છે. આટલા સુખમાં પડ્યું નિર'તર આવી જાગૃતિ રાખતા હતાં ત્યારે તે અરિસાભુવનમાં કેવળ જ્ઞાન પામી ગયા. દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધી ગયા. જો વૈભવ વિલાસમાં જ સુખ હૈાત તે ચક્રવતિ એ તેને છેડત નહિ. મહાનપુરૂષ છોડીને ગયાં છે, તેા નક્કી સમજી લેજો કે સુખ ત્યાગમાં છે, ભાગમાં નહિ. આ સપત્તિને ખાતર રાજાઓને કેવા યુદ્ધ-સંગ્રામેા કરવા પડયા. અંતે સમજયા ત્યારે છેડતાં વાર ન લાગી. ગમે તેટલું ધન હાય પણ કરેલાં કર્મીની સજા ભાગવતી વખતે જીવને સહાયક બનવાનું નથી. તે સમયે જે સાચી સહાય કરનાર હાય ! વીતરાગ કથિત ધર્મ છે, ધર્મ વિના ત્રણે કાળમાં જીવના ઉદ્ધાર થવાના નથી. દેવાનુપ્રિયા ! ગઇ કાલે આપણે શાલિભદ્રની ઋદ્ધિની અને શ્રેણિક મહારાજા તેને ત્યાં જોવા જવાની વાત કરી હતી. આમાં ખાસ વિચારવાનુ` એ જ છે કે શાલિભદ્ર કેવા ઋદ્ધિશાળી છે છતાં જોજો, શ્રેણિકનુ શાલિભદ્રના ઘેર જવાનું નિમિત્ત કેવું રૂપ ધારણ કરે છે તે સાંભળવા જેવું છે. માટે તે વાત હું કહું છું. શ્રેણિક મહારાજા શાલિભદ્રના મહેલ જોઈ આભેા બને છે. પહેલા ખડમાં ઉંબરે ઉભા રહેવું પડે છે. સ્વચ્છ સ્ફટિકની જમીન નિળ પાણીના સરાવર જેવી દેખાય છે. રાજા મૂઞય છે. પગ મૂકું અને ડૂબું તે! પણ બુદ્ધિના નિધાન અભયકુમાર પાસે જ હતા. ઘરમાં સરાવર કયાંથી ? એ તરત જ સમજી ગયા. એક્દમ કંઈક ચીજ કાઢી ભેાંય ઉપર નાંખી અને આગળ ચાલ્યા. રાજા પૂછે છે કે શાલિભદ્ર અહી' કેમ દેખાતા નથી ? કહે છે રાજન! શાલિભદ્ર અહી... હાય? આ તા હાથી-ઘેાડા વિગેરે પશુઓને રહેવાનુ' સ્થાન છે. શ્રેણિક મહારાજા વિચારે છે કે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલા પુણ્યના અનેક પ્રકારામાંના આ પણ એક પુણ્યના પ્રકાર છે. આવા મકાનમાં અત્યારે કોઈ રાજા આવે તે તરત જ મનમાં થાય કે આ મારા કરતાં ચઢી ગયા અને તેને તેનું ધન પડાવી લેવાની ભાવના થાય, પણ આ તે સમ્યક્દૃષ્ટિ રાજા હતે. તેથી એમણે તેા વિચાયુ કે જેવુ મારી પાસે રાજપુણ્ય છે તેવું શાલિભદ્ર પાસે ભેગપુણ્ય છે. શ્રેણિક રાજાને જરા પણ ઈર્ષ્યા ન આવી. “ અરિહંતના શાસનને પામેલા સમ્યગ્દૃષ્ટિ આત્માને દુનિયાની કોઈપણ વસ્તુ અનીતિના પંથે લઈ જવા સમર્થ નથી. ” શ્રેણિક રાજા વિચારે છે કે જે મારા રાજભુવનમાં નહિ તે એના હાથી ઘેાડા માટે ! કેવુ' પુણ્ય ! જેમ શ્રેણિક રાજા સમ્યગ્દષ્ટિ અને ભગવાન મહાવીર પ્રભુના અનુયસીહતા તેમ શાલિભદ્ર પણુ સમ્યગ્દષ્ટિ અને ભગવાન મહાવીરના અનુયાયી હતા. મહારાજા શ્રેણિક ઉપર ગયા. ચેાથે માળે ભદ્રામાતાએ કયુ. રાજન્ પધારો. અહિં જ બિરાજો. પાંચમે માળે હું રહું છું. છઠ્ઠા માળે મારા શાલિભદ્રની ખત્રીસ પત્નીઓ રહે છે અને શા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy