SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૫ કિંમત ચૂકવવા અમે અને માણુસ વીસ વર્ષ સુધી તમારે ત્યાં નાકરી કરીશું. તમે એ કહેશે। તે કામ કરીશું. અને તમારા વધેલા ખેારાકમાંથી જે કંઇ આપશેા તે ખાઈ લઈશું, ધ્રુવેરીએ આ વાત મંજુર કરી. એટલે એક લાખ રૂપિયાની કિંમતના હાર લઇને મિત્રને ત્યાં આપી આવ્યાં. પણ ખીજી કઇ જ વાત ન કરી, મિત્ર ખૂબ ધનવાન હતા. એને ઘેર દાગીનાની કમીના ન હતી. એણે પણ ખેલીને જોયુ' નહિ કે આ કેવા હાર છે? જોયુ. હાત તા ખબર પડત. એણે લઇને બીજા દાગીના ભેગા હાર મૂકી દીધા. આ બંને માણસા ઝવેરીને ત્યાં નાકરી કરે છે. શેઠ ફાટેલાતૂટેલાં કપડાં આપે તે પહેરતાં અને લૂખા સૂકે રેટલા આપે તે ખાઇ લેતા. શેઠ એમની પાસે કાળી મજુરી કરાવતાં હતાં. આ રીતે આ બંને માણસે વીસ વર્ષાં સુધી નાકરી કરી. વીસ વર્ષની મુદત પૂરી થતાં પતિ-પત્ની શેઠની રજા લઈને પાછા ફરીને ઘેર આવે છે. શરીર તા સૂકી લાકડી જેવુ થઈ ગયુ છે. કપડાં પણ ફાટેલાં તૂટેલાં છે. એવી હાલતમાં ચાલ્યાં જાય છે. તે વખતે જેને હાર પહેરવા લાવ્યા હતાં તે જ મિત્ર સામેા મળે છે. અને પૂછે છે કે ભાઈ! તમે ઘણુ ં વર્ષોથી કેમ દેખાતા નથી ? અને તમારી આ હાલત કેમ? ત્યારે આ લેાકેા હારની વાત કરે છે. તમારા હાર ખાવાયે તેના બદલામાં એની કિ ંમત અમારે આ પ્રમાણે ચૂકવવી પડી, પતિ-પત્નીની વાત સાંભળી પેલે મિત્ર કહે છે. અરે! આ તા ગજબ થઇ ગયા. મેં તમને જે હાર આપેàા એ તે ખાટા હીરાના હતા. અને એની કિમત તા ફક્ત પચાસ રૂપિયાની હતી. પચાસ રૂપિયાના હારને સાચા હીરાના હાર સમજીને તમે તમારી જિંદગીના વીસ વર્ષી અરમાદ કર્યાં ! ચાલીસ વર્ષની ઉંમરમાં નેાકરી કરવા ગયા હતાં અને વીસ વર્ષ નાકરી કરી, સારી યુવાની દુઃખમાં પસાર કરી અને ઘડપણ આવી ગયુ. ૬૦ વર્ષની ઉંમર થઈ ગઈ. બંને જણાં ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. પાછળથી પસ્તાવા કર્યું શું વળે ? ઘેાડીવાર હાર પહેરવાના મેહ ન કર્યાં હત તા આ પરિસ્થિતિ ઉભી ન થાત. પચાસ રૂપિયાના હાર ખાતર અને સાચી ઓળખાણુના અભાવે તેમણે અમો રૂપિયા આપતાં પણ ખરીદ્દી ન શકાય એવી અમૂલ્ય માનવજીંૉંગીના વીસ વર્ષી ગુમાવી દીધા. અપ સુખ માટે કેટલું કષ્ટ વેઠયુ? જે મનુષ્યા તન–ધન અને વાસનામાં સુખની કલ્પના કરીને તેમાં જ જીવનભર લાગ્યાં રહે છે. તેમાં સાચું સુખ મળતું નથી, પરિણામે દુઃખ જ મળે છે. હવે ખીજું છે દેવી જીવન-દૈવીજીવનમાં અંધકાર ન હોય પણ સત્યના સૂર્ય ચમકતા હાય. સદાચાર, નીતિ અને પ્રેમના દીવડા ઝગમગતા હોય, સદ્ગુણાની સુવાસ’ મઘમઘ્રતી હોય તેનું નામ છે દૈવીજીવન. દેવીજીવન જીવનાર વ્યક્તિ સૌથી પ્રથમ ચારિત્ર– વાન હાય છે. દેવીજીવન જીવનાર આત્મા નરમાંથી નારાયણ અને છે. અને માનત્રમાંથી સહા માનવ બની જાય છે. એના જીવનમાં માનવતા મહેંકી ઉઠે છે. દુઃખીને એને શા. ૬૪
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy