SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ તેને જે કુરસદને ટાઈમ મળો તેને ઉપયોગ તે વિવિધ ભાષા શીખવામાં કરતે હતે. આ રીતે તેણે સમયને સદુપયોગ કરીને લગભગ અઢાર ભાષાઓ શીખી. તે કહેતો હતો કે હું જે કંઈ શીખે છું તે બુદ્ધિબળથી નહિ પણ સમયને સદુપયેગ કરોને. પિપ એટ્રિયમ છો બહુ ગરીબ હતે. ઘણી મહેનતથી તે પિતાનું ગુજરાન ચલાવતે હતે. આમ છતાં પણ તે પિતાની એક પળ પણ નકામી જવા દેતો ન હતે. ફુરસદના સમયે તે રાત્રે મ્યુનિસિપાલિટીની બત્તીએ પુસ્તક વાંચતે અને થોડા જ સમયમાં તે દુનિયાને અદ્વિતીય વિદ્વાન બની ગયે. આજે જગતમાં વૈજ્ઞાનિકે એ એક એકથી ચઢીયાતી જે આશ્ચર્યજનક શોધો કરી છે, તે સમયના સદુપગનું જ ફળ છે. મોટા મોટા દાર્શનિકે, વિદ્રાને અને સંતશિરોમણીઓ સમયનો સદુપયોગથી જ ઉન્નતિ પદે પહોંચ્યા છે. સમયને સદુપયોગ માનવને મહામાનવ બનાવી શકે છે. અને ભગવાનની કક્ષા સુધી પહોંચાડી શકે છે. જે સમય ચૂકી જાય છે. તને પાછળથી પસ્તાવાનું જ રહે છે. નેપોલિયનના વિજયનું મૂળ કારણ વિચારીએ તે સમય હતો. પાંચ મિનીટના સમયની કિંમત નહીં સમજનાર ઓસ્ટ્રિયા નિવાસીઓ નેપલિયન બેનાપાર્ટ સામે હારી ગયા. વેટરના યુદ્ધમાં નેપોલિયનની હારનું મુખ્ય કારણ તેના સાથીદાર “પુરી” એ આવવામાં પાંચ મિનિટને વિલંબ કર્યો એટલા માટે નેલિયનને બંદી બનવું પડયું. માટે સમયને ખૂબ સાવધાનીથી વિતાવવો જોઈએ. સમયની દરેક પળ સેનાના કણની જેમ કિંમતી હોય છે. સમર્થ રામદાસે પણ સમયનું મહત્વ બતાવતાં કહ્યું છે કે એક ક્ષણ પણ નકામી ન જવા દેવી અને તેને સદુપયોગ કરે એ સદ્ભાગ્યની નિશાની છે. રાષ્ટ્રપતિ શિંગ્ટન પણ સમયની બાબતમાં ખૂબ જ ચોકકસ હતે. એકવાર તેમના એક સેક્રેટરીએ પિતે મોડા આવ્યા તે બદલ ક્ષમા માગી અને કહ્યું સાહેબ! મારી ઘડિયાળ જરા લેઈટ હતી એટલે આવવામાં મોડો પડે. સિંગને તરત જ કહી દીધું જનાબ ! કાં તે તમે તમારી ઘડિયાળ બદલી કાઢે, નહિતર પછી મારે મારે સેક્રેટરી બદલી કાઢ પડશે. તેમના જીવનને બીજે પણ એક પ્રસંગ છે. રાષ્ટ્રપતિ શિંગ્ટન દરરોજ ચાર વાગે ભોજન કરતા હતા. એક વખત તેમણે અમેરિકન કેંગ્રેસના કેટલાક સભ્યોને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. પરંતુ તે સભ્ય નક્કી કરેલા સમયથી મોડા પહોંચ્યા ત્યારે તેમણે તે સમયે રાષ્ટ્રપતિને જમતાં દીઠાં તેથી તેમના મનમાં જરા ખેદ થયે. સમયનું પાલન કરનાર શિંગ્ટને કહ્યું મારે રાઈઓ મને એમ કયારે પણ પૂછતો નથી કે મહેમાન આવ્યા કે નહિ? તે તે ફક્ત એટલું જ કહે છે કે જમવાને ટાઈમ થયે છે માટે આપ જમવા બેસો.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy