SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ નમાં ત્રણ ત્રણ ભવ કર્યા! હું કોણ ? મગધ નરેશને લાડકવા પુત્ર નદી! કયાં રાજભવનનાં સુખ અને ક્યાં ભગવાન મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય રંગે રંગાયેલે હું! દેવેએ મને વૈરાગ્યના પંથે જતાં વાર્યો હતો. મને કહ્યું હતું કે “તારું ભોગાવલી કર્મ નિકાચિત છે.” ગૃહવાસ ફરીને સેવ પડશે. પણ મારા ઉત્કૃષ્ટ વૈરાગ્યને કારણે એ વાતે મેં ફગાવી દીધી હતી. મેં કહ્યું હતું કે હું તે શુરવીર છું, કાયર નથી. હું ભગવાન મહાવીરને શિષ્ય છું. કર્મો તે મારી પાસે રાંકડા છે. એમ વિચારી શૂરવીર બનીને નીકળી ગયો. અને આ મહરાજાએ મને કામલતાને ઘેર ધકેલી મૂક્યો. ઘેર તપ, અપૂર્વ સ્વાધ્યાય, બધું ભૂલી ગયા ! કડક નિયમ લીધું હતું કે આ દેહને અભડાવવા કરતાં પર્વતના શિખરેથી ઝંપાપાત કરે શ્રેષ્ઠ છે. ભગવાનની પણ એ જ આજ્ઞા છે કે – “વર વાણી વરં નવુવિકારેને વશ થવા કરતાં મૃત્યુને ભેટવું સારું છે. હું વૈરાગ્યના પર્વતના શિખરે ચઢી ગયે પણ ચઢીને પટકાઈ ગયો. આમ વિચારે છે ત્યાં કામલતા નંદીષણ પાસે આવીને વિવિધ પ્રકારનાં નૃત્ય કરવા લાગી. અનેક પ્રકારના હાવભાવ કરવા લાગી. ત્યારે નંદીષેણ કહે છે તે કામલતા ! તે હજુ મને ઓળખે નથી. તું મને ઓળખી લે. હું ભગવાન મહાવીરને શિષ્ય છું. હું વીર માતાની હિતશિક્ષાનું દૂધ પીને બળવાન બનેલો વીર છું. મોહની કપટનીતિઓથી હું પૂરા વાકેફ છું. તે અત્યાર સુધીમાં કેટલાય યુવાનેને તારા સૌદર્યની સુરા પાઈને પાગલ બનાવી દીધા છે. અને તારા ચરણનાં દાસ બનાવ્યા છે. એ બધા ભગવાન મહાવીરના સેવકો ન હતાં. પણ હું તે ભગવાન મહાવીર દાસ છું, તે બીજાને દાસ કેમ બની શકે ? ભલે તારી સાથે રહ્યો છું પણ મારું મન તે મહાવીરમાં જ છે. મારું મનડું છે મહાવીરમાં...મને ગમતું નથી ભુવનમાં દિવસો ઉપર દિવસો ચાલ્યાં જાય છે, પણ નદીષેણ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર તે છોડતાં જ નથી. એમને દરરોજને કાર્યક્રમ છે કે સવારમાં સામાયિકપ્રતિક્રમણ પછી દશ આત્માઓને પ્રતિબંધ પમાડવા. પછી ભેજન, ત્યાર બાદ આરામ અને આરામ પછી થોડે વાર્તા–વિદ–ત્યાર પછી શાસ્ત્ર સ્વાધ્યાય-પ્રતિક્રમણ અને બાર ભાવનાઓનું ચિંતન કરતાં નિદ્રાદેવીને આધીન થવું. કામલતા વેશ્યા મટીને હવે નદીપેણની પ્રિયતમા બની હતી. એના (વેશ્યાના) અંતરમાં હવે કેઈને વસવાને એણે અધિકાર રાખે ન હતો. મગધના પ્રજાજનેમાં પણ વાતે ચાલે છે કે મગધ નરેશને પુત્ર નંદીષેણ બાર બાર વર્ષ સુધી ઉગ્ર તપ કરી, સંયમ પાળી પતન પામે છે, કામલતા વેશ્યાને વેર વસ્ય છે પણ આશ્ચર્યની વાત તે એ છે કે વેશ્યાના ઘરમાં રહીને પણ રોજ દશ આત્માઓને વૈરાગ્યના પંથે વળીને જ ભૂજન કરે છે. તે એના દિલમાં કોનું સ્થાન
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy