SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩% હતી. દુનિયાનાં બધા રાજ્ય પર દ્વારકાની વજા ફરકતી હતી. યાદવકુળના આ યુવાનેમાં જ્યાં સુધી ઉલ્લાસને પ્રકાશ રેલાતે હતો, પ્રતિષ્ઠા માટે કુરબાન થઈ જવાની ભાવના હતી, મોટાઈની ઘેલછા ન હતી, અનીતિ, અન્યાય અને ભ્રષ્ટાચાર સામે ઝઝૂમતા હતાં એમના જીવનમાં સદાચારની સૌરભ મહેકતી હતી ત્યાં સુધી તેમને વૈભવ ટકી રહ્યો. દ્વારકા નગરીની શોભા પણ ત્યાં સુધી ટકી રહી. પણ જ્યારે યાદવકુળના યુવાને વિલાસપ્રિય બનીને પિતાની જાતને ભૂલી ગયાં, સેનાનાં મહેલની છાયામાં માણસાઈની છાયા ઢંકાઈ ગઈ કેણ મોટું છે, કેણ નાનું છે, કેને સત્કાર કરવું જોઈએ, એ વાત ભૂલાઈ ગઈ અને વિકારથી જીવનનું નૂર ઝાંખું પડી ગયું. રાવણના અભિમાનને કારણે અને સીતા જેવી સતીને સંતાપવાને કારણે એની સોનાની લંકા રાખમાં રેલાઈ ગઈ. જ્યારે માણસ પોતાની માણસાઈ ચૂકે છે ત્યારે એનું નામ સાંભળવું પણ કોઈને ગમતું નથી. દુનિયા તેના નામને પણ બહિષ્કાર કરે છે. લાખ વર્ષો વીતી જવા છતાં પણ આજે કઈ માતા કે પિતા પિતાના સંતાનનું નામ રાવણ પાડતા નથી. જો કે રાવણ ખૂબ મોટો રાજા હતા. તે સેનાના મહેલમાં રહેતે હતું. તેના ચરણમાં દેવે પણ ઝૂકી પડતાં હતાં તે પછી બીજા મહારાજાઓનું તે પૂછવું જ શું? રાવણ આટલે શક્તિશાળી હોવા છતાં આજે કોઈ પણ પોતાના સંતાનનું નામ રાવણ પાડતું નથી. આનું કારણ એ છે કે રાવણ પાસે વૈભવ ઘણે તે પણ જીવનને વૈભવ તળિયાઝાટક થઈ ગયું હતું. સેનને મહેલ તે હતો પણ સદાચારને મહેલ જમીનદોસ્ત થઈ ગયે હતે. સમુદ્ર પર તેનું શાસન ચાલતું હતું, પણ વિકાર પર તેનું શાસન ચાલતું ન હતું. એટલે આજે સૌ કઈ રાવણના નામને તિરસ્કાર કરે છે. રાવણ એકને નહિ પણ તેના સારા કુટુંબની કઈ વ્યક્તિના નામે પણ ઈન્કાર કરે છે. હજુ સુધી કોઈનું નામ કુંભકર્ણ, વિભીષણ, કોઈની બહેન કે દીકરીનું નામ મંદોદરી કે શુર્પણખા સાંભળવામાં આવતું નથી. કહેવાનો આશય એ છે કે તમને ગમે તેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારે ઘેર વૈભવની છોળ ઉડે, બુદ્ધિને પ્રકાશ ઝળહળે પણ જે મનમાં પવિત્રતા ન હોય, વિચારમાં ઉચ્ચતા ન હોય, અને ઇન્દ્રિય પર કાબુ ન હોય, જીવનમાં સંતોષ ન હોય, તે સુખ અને શાંતિ કયાંથી મળે? જે માણસ ભેગને ભિખારી બનીને ભટકતો હોય, વિકારે અને વાસનાઓના પ્રવાહમાં તણાઈ રહ્યો હોય તે ભૌતિક વિજય તે મેળવી શકો નથી તે પછી આધ્યાત્મિક વિજય તે કયાંથી મેળવી શકે ? અશાંતિ અને દુઃખનું મૂળ કારણ અસંતોષ અને અસંયમ છે. - પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘેરીને યુદ્ધમાં બાર વખત હરાવ્યો હતો. તેનું કારણ યુદ્ધમાં જવાનું હોય ત્યારે તે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળતું હતું, પરંતુ તેરમી વખત યુદ્ધમાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy