SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ર કરવી પડતી નથી. બધુ` જ યંત્રો વડે એટોમેટીક થઇ જાય છે. તમારી બેસવાની મેટરો પણુ યંત્રથી જ બને છે. એને કોઈ કારીગર યંત્રની સહાય વિના અનાવવા ઈચ્છે તે તેને કેટલા સમય લાગે ! દિવસેાના દિવસેા અને મહિનાએના મહિના તે કામમાં વીતી જાય તે પશુ શુ યંત્રો વડે મનતી મેટર જેવુ' એકધારુ બંધ બેસતું કામ થાય ખરું! ન જ થાય. અમેરિકા જઈ આવેલ અને મેટરનુ કારખાનુ' જોઈ આવેલ લેાકા કહે છે કે ત્યાં તે ફક્ત પાંચ જ મિનિટમાં મેટર તૈયાર થઈ જાય છે. માટા મેાટા પતરા કપાઈ ને તેમાંથી મેટર તૈયાર થઈ ને પાંચ જ મિનિટમાં બહાર પડે આ સાંભળી તમને આશ્ચર્ય લાગે છે. પણ તેમાં નવાઈ પામવા જેવું કશું નથી. વિજ્ઞાનની મદદથી આજે એનાથી પણ વિશેષ નવાઈ પમાડે તેવાં કર્યાં થઇ રહેલાં છે. આ રીતે આજના યુગે યંત્રો આપ્યા છે. અનેક સુખ સગવડના સાધન આપ્યાં છે. માણસ બેડા હાય ત્યાંથી તેને ઉડવાની જરૂર ન રહે તેવાં સાધના આજના યુગે તમને આપ્યાં છે. તે બેઠો બેઠો ચાંપ દબાવીને બધું મેળવી શકે છે. આજના માનવી આ કારણે ગવ અનુભવે છે. અને કહે છે કે ભૂતકાળમાં કદીયે ન થઈ હેાય તેવી પ્રગતિ અમે સાધી છે. વિકાસ સાધ્યું છે, અને અનેકવિધ સાધના આપ્યાં છે. આ કથન ખરુ' છે. છતાં આજના માનવી તે માટે અભિમાન કરી શકે તેમ નથી. કારણ કે આજની પ્રગતિ એકડા વિનાના મીડા જેવી છે. પાયા વિનાના મહેલ જેવી છે. તમે એક પછી એક ગમે તેટલા મી'ડા મૂકે પરંતુ જો મેાઢા આગળ એકડા ન હેાય તે ? એકડા વિનાના મીડા વધે તે શુ તેથી તે મીંડાઓની કઈ કિ ંમત વધે છે ખરી ! દશ મી'ડાના વીસ મીડા કરે અને વીસના ત્રીસ કરા, આથી મીડા વધશે પણ એની કિ ́મત વધશે નહિ. આવુ' જ આજની પ્રગતિનુ' છે. આજે પ્રગતિ થઇ રહી છે પણ તેમાં ધમરૂપી એકડા જ નથી. એટલે તે પ્રગતિને સાચી પ્રગતિ કહેવાય નહિ. ધ એ પાયેા છે : કાઈ મહેલ બાંધવામાં આવે પણ તેના પાયે જ નાંખવામાં ન આવ્યે હાય તેા તે ટકી શકે ખરે ? પાયા વિના મહેલ ટકી શકતા નથી. તે કયારે જમીનદોસ્ત થઈ જશે તે કહી શકાતુ' નથી. તેવુ' જ આજની પ્રગતિનુ` છે. આજની પ્રગતિ ધર્માંના પાયા વિના થઈ છે એટલે તે કયારે વિનાશ પામશે તે કહી શકાય નહિ. આ કથનની ઝાંખી તમને હમણાં જ થઈ ગયેલ છે. ખીજા વિશ્વયુદ્ધમાં એક અણુઓએ સજાવેલ વિનાશે આપણને પ્રતીતિ કરાવી દીધી છે કે આજનું સ'હારક વિજ્ઞાન વર્ષોની પ્રગતિને થાડી જ સેકન્ડમાં છિન્નભિન્ન કરી નાંખશે. કદાચ તમે એમ પણ પ્રશ્ન કરશેા કે આ પ્રગતિ ધર્મ વિના થઈ છે એમ કેમ કહેવાય ? અગાઉ હતાં તે કરતાં અનેક ગણુાં મદિરા અને ધમસ્થાનકો વધ્યાં છે. દાન– યાવધક અનેક સંસ્થાએ ખાલાઇ છે. માણસે પણ ખૂબ કરે છે. અગાઉ ધક્રિયા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy