SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે સ્થાને કરેલું પાપ અહીં દેવાઈ જશે પણ અહીં બાંધેલું પાપ વજીના લેપની જેમ મજબૂત બંધાશે. એને પૂછીએ કે તમે શી પ્રતિજ્ઞા લીધી? તે કહેશે મારે ૫૦ થી વધુ બીડી ન પીવી. તે એથીવધુ કેટલી પીવી? દસથી અધિક પાન ન ખાવાં, વાઘ, સિંહ કે હાથી ઉપર સ્વારી ન કરવી. બાધા લીધી પણ ક્યાં તેના બાપે ચેકમાં હાથી બાંધ્યા છે? અને સિંહ કે વાઘની સામે ઉભા રહેવાની તે તાકાત નથી, છ છોકરાનું પૂરું કરવાની ત્રેવડ નથી ત્યાં આંગણે હાથી કયાંથી બાંધી શકે ? આવા ભક્તોથી ખુદ ભગવાન થાકી જાય તે અમારે તે કલાસ જ કયાં રહ્યો કદાચ અમે કહીએ ને તમે કડક બાધા લે તે તેમાં અમારું કલ્યાણ થઈ જવાનું નથી. લાભ તમને થવાનું છે. દરિયામાં સ્ટીમર ફરે છે ત્યાં અમુક ઠેકાણે દિવાદાંડી હોય છે, કારણ કે જ્યાં ખાડા ને ખડક આદિ વિષમ માર્ગ હેય ત્યાં એકસીડેન્ટ થઈ જવાને ભય રહે છે. તેની ચેતવણી માટે દિવાદાંડી નાખવામાં આવે છે. તેમ તમારા જીવનની નૌકા વિષય અને વ્યસને રૂપ ખડક સાથે અથડાઈને ભૂક્કો ન થઈ જાય તે માટે સંતે દિવાદાંડી સમાન છે. કેઈકહે અમુક સંતના ચાતુર્માસમાં મેં માસખમણ કર્યું. કેઈ બહેન કેઈ ગુરૂણી પાસે દીક્ષા લઈ લે તે તેમાં ગુરૂણીના ભવને ફરે નહીં ટળે પણ કરનારનું જ કલ્યાણ થાય છે. સંતે તે સાચે માર્ગ બતાવે છે. હવે આપણે ઘરની વાત કરીએ. તમે મુસાફરી કરતાં છે ત્યારે કેઈક ઠેકાણે ડાકબંગલે આવ્યો હશે. જેમાં ફક્ત રાત્રે સૂવાની, ચા પાણી બનાવવા માટે સ્ટવની અને સૂવા માટે પલંગ આદિ સગવડ છે. તેમાં તમે બે દિવસ રહી રવાના થાવ. આગળ ચાલત બીજું મકાન આવ્યું. એનું નામ છે હોટલ, આગળ જતાં ત્રીજું મકાન આવ્યું જેમાં રહેવાની સૂવાની બધી સગવડ છે. એમાં એક વિશાળ હોલ પણ છે. એનું નામ છે ધર્મશાળા અને ચોથું એક મકાન છે, જેમાં માણસ રહી પણ શકે છે, ભેજન બનાવી શકે છે. સુઇ શકે છે. દરેક પ્રકારનાં ફનચર અને સગવડોથી સજિજત છે, આનું નામ છે ઘર. ચારે ય મકાન ઇંટ-માટી-સીમેન્ટ ચુના આદિમાંથી જ બન્યા છે, છતાં દરેકને જુદું નામ આપ્યું. બધામાં સાધન સામગ્રી તે મળે છે, છતાં તમને ઘર યાદ આવે છે. ડાક બંગલો કે હોટલ ભલે સુંદર હોય છતાં ડાક બંગલામાં માણસ બે દિવસ રહે છે. હોટલમાં ચાર દિવસ, અને ધર્મશાળામાં થોડા દિવસ રહે છે, પણ અંતે તે એમ જ થાય કે ચાલે ઘેર જઇએ. હવે તમને જે “ઘર” પ્રિય છે, જેમાં તમે વસ્યા છે તે ઘરમાં નાના-મેટાં દરેકના પ્રેમને તમે જીતી શકે તે જ તમારો સંસાર સ્વર્ગ જેવું બની શકે. બાકી જે ઘરમાં ધર્મ. આરાધનાની વાત નથી, જ્યાં કલેશને જ દાવાનળ ભભૂકી રહયો છે તે સ્થળ તે નરકથી પણ ભયંકર છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા દેવે ગમે તેટલી સાહાબીવાળા છે, છતાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy