SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ એક એક રાગના સ્પેશ્યાલીસ્ટ ડાય છે. નાક ને ગળાનાં સ્પેશ્યાલીસ્ટ હાય તે તેમાં જ તે જાણી શકે. આંખના સ્પેશ્યાલીસ્ટ આંખની તકલીફ દૂર કરે પણ સતા તે તમારા દ્રવ્ય અને ભાવ અન્ને પ્રકારના રાગના સ્પેશ્યાલીસ્ટ હેાય છે. એક ઘરેથી ખીજે ઘરે ગૌચરી કરતાં કરતાં એક ઘરમાં દાખલ થયા. ઘરમાં બાળક પણ ખૂબ ભાવનાવાળા. ખાળકા કહે–હુ વહેારાવું, ખીજે કહે હું મહાસતીજીને વહેારાવું. એમ બાળક ખૂબ જોરશે(રથી ખેલવા લાગ્યા. મેં કહ્યુ', તમે બધા શાંન્તિથી એક એક વસ્તુ વહેારાવા, અધાના હાથે વડારીશ. ત્યાં શ્રાવિકાજી ખાળકોને કહે છે કે તમે બધા ધીમુ ખેલે. મે કહ્યું : કેમ બહેન! તમે આમ કહેા છે ? તે કહે છે કે આ પલંગમાં સૂતા છે તે માંડ ઉંઘે છે. તે જાગી ન જાય માટે ધીમુ ખેલવાનું કહું છું. ત્યારે મને થયુ` કે કદાચ બિમાર હશે. અથવા બીજા કાઇ મહેમાન આવેલ હશે. એટલે મેં પૂછ્યું-મહેન, આ કાણુ છે? તમારા સસરા છે કે બીજા કાઇ છે? તે બિમાર છે કે કોઈ ચિંતાનું કારણ છે? જે બિમાર હાય તા માંગલિક સંભળાવું. તેા કહે છે, મહાસતીજી! હું... જેને પરણી છું તે મારા પતિ છે. તે ખિમાર નથી પશુ શી વાત કરૂ? એ ઉ ંધે છે ત્યાં સુધી સુખે ચા-પાણી પી લઇએ. એ જાગશે ત્યારે કંઇક ગડબડી કરશે. કાઇને મારશે તે કાઈ ને ધમકાવશે. એવા ક્રોધી સ્વભાવ છે કે બધા ફફડીએ છીએ. એ જમીને દુકાને જાય ત્યારે અમને થાય કે હાશ! હવે શાંતિ થશે. જેના જાગવાથી ખીજાને ત્રાસ થાય તેવા જીવા ઉ ંઘતા જ સારા છે. તમે વિચારજો કે અમે તે આવા નથી ને! ચાતુર્માસના પવિત્ર દિવસેામાં સંતા બિરાજે છે. અને વીર વાણીના ધોધ વહાવે છે. આ ધોધ દ્વારા આપણા કષાયેાને શાંત કરવાના છે. સામાયિક, પ્રતિકમણુ કર્યો પછી કષાયાની આગ હાવી ન જોઇએ. એજ પ્રભુ મહાવીરના દિવ્ય સ ́દેશ છે. સાંભળેા, ત્રિલેાકીનાથ શાસનપતિ પ્રભુને દીક્ષા લીધા પછી કેવી કેવી આપત્તિએ આવી ! પણ કષાયને છાંટા દિલમાં આવવા દીધા નથી. મારનાર પ્રત્યે અને પૂજન કરનાર પ્રત્યે સમતાભાવના ઝરણાં વહાવ્યાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યુ` છે કે ઃ “ લાભાલાભે સુહૈદુકખે, વિએ મરણે તા સમે। નિંદા પસ’સાસુ, તહા માણાવમાણુઓ । ” ઉ. અ. ૧૯-૯૦ જે લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવન-મરણુ, નિંદા અને પ્રશસામાં સમતાભાવ રાખે તે જ સાચેા શ્રમણ છે. તમે સાધુપણુ ન લે તે ખેર, પણ શ્રાવકપણામાં રહીને આવા ભાવ કેળવતાં શીખેા. જે સમજણ કેળવી હશે તેા જ કમેદયના સમયમાં સમભાવ રાખી શકાશે. ક”ને જેવું બાંધીએ છીએ તેવું તુરત જ તે ઉદયમાં આવતું નથી. સત્તામાં રહે છે. ભગવંત કહે છે હું આત્મા, કર્મ એ સત્તામાં છે, હજી ઉડ્ડયમાં આવ્યા નથી, તે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy