SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ તમે વેપાર કરે છે અને દિવાળીએ તેનું સરવૈયું પણ કાઢો છે. ત્યારે કાં તે નફો હોય ને કાં તે નુકસાન હોય પરંતુ એક પાઈને નફે નહિ અને નુકસાન પણ નહિ એવું કોઈ વાર બને ખરું? તેવી રીતે જીવને પરિભ્રમણ કરતાં ક્યારેક જ પુણ્ય અને પાપની સંધિ થાય છે. અને તેમાં પણ પગઈભયાએ, પગઈ વિણિયાએ, સાણુકાસિયાએ અને અમચ્છરિયાએ – જ્યારે પ્રકૃતિની ભદ્રિકતા, સરળતા, કરૂણાથી ભરેલું હૃદય અને નિરાભિમાનપણું હોય ત્યારે મનુષ્યના આયુષ્યને બંધ પડે છે. દેવેને પણ દુર્લભ મનુષ્ય જન્મમાં જ ધર્મની આરાધના થઈ શકે છે. આ ભૃગુ પુરોહિતના બે પુત્રો તેના માતા-પિતાને હાથ જોડી નમ્ર વિનંતિ કરે છે હે માતા-પિતા! આ સંસારમાં જીવને જન્મ – જરા ને મરણનાં ભય રહેલાં છે. વળી આ સંસારના ચકથી મુક્ત થવા માટે ચારિત્ર એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અને કામ એ તે ઝેર જેવાં છે. ઝેર ક્યારે પણ અમૃત બનવાનું નથી. તેમ આ સુખે ભલે દેખાવમાં મીઠા લાગે પણ એનાથી કર્મબંધન જ થવાનું છે. જેમ ઘી એ શરીરને પુષ્ટિકારક છે પણ એ જ ઘીને સે વખત પાણીથી ધોઈ નાંખવામાં આવે તે એ ઘી ઝેર બની જાય છે. એને ખાવામાં સ્વાદ બદલાતો નથી પણ એ જીવ ને કાયા જુદા કરાવે છે. કહ્યું છે કે “હું રિચા પાઉં, પરિણામે ન સુન્દ્રા ! एवं भुत्ताण भोगाणं, परिणामो न सुन्दरो ॥” ઉ. સૂ. અ. ૧૯ ગા. ૯ જેમ કિપાક વૃક્ષના ફળ દેખાવમાં સુંદર હોય છે અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. પણ એને ખાધા પછી પરિણામ વિષમ આવે છે. એટલે કે એને ખાધા પછી માણસ મૃત્યુ પામે છે. તેમ કામગ ભેગાવતી વખતે મનુષ્યને ખૂબ આનંદ આવે છે પણ એના વિપાક ભગવતી વખતે દુઃખ થાય છે. કામગ એ ધાયેલાં ઘી જેવાં છે. મીઠું ઝેર છે. એ તમને અધોગતિમાં લઈ જશે માટે સમજીને વિષયેથી વિરમે ધર્મની આરાધના કરી લે. મનુષ્ય જિંદગીને એકેક દિવસ કિંમતી જાય છે. ગયેલે દિવસ ફરીને પાછા આવતું નથી. તમારા ઘરમાં કેલેન્ડર તો હશે ? એ કેલેન્ડરમાંથી જ એક એક પાનું ખરી જાય છે તેમ તમારી જિંદગીના કેલેન્ડરમાંથી એક એક દિવસ રૂપી પાનું ખરે છે. એ સમય પાછા ફરીને મળતું નથી. ગમે તે પશ્ચાત્તાપ કરશે તે પણ આ ઘડી ને તક મળવી મુશ્કેલ છે. એક માણસે નદીના કિનારે ખેતરમાં શેરડીને વાત કર્યો હતો. એ વાડીની વચમાં ઝુંપડી બાંધીને તે રહેતે હતે. ખેતરમાં પાકને નુકશાન કરનાર પક્ષીઓને પથ્થર મારીને તે ઉડાડતો હતો. એક દિવસ તે નદીના કિનારે આવ્યો છે. ત્યાં દૂર દૂર નદીના પાણી ઉપર તેની નજર પડી. તે દૂરથી તેણે પાણીમાં એક માટીને ઘડા પાણીમાં તરીને આવતે જે. એ ઘડા ઉપર સુંદર ગુલાબનાં કુલ ચીતરેલાં છે. વેલે ચીતરી છે. ઉપર
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy