SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ દીવાદાંડી ખડકા વગેરે ભયસ્થાના બતાવી વહાણાને માગદશન આપે છે, તેમ પ્રભુના સિદ્ધાંતા સંસારરૂપ સમુદ્રમાં ખડક અને ભયનાં સ્થાન મતાવી જીવાને માદર્શન આપે છે. આ સિદ્ધાંતના આલંબનથી ભૂતકાળમાં અનંતા જીવા માક્ષે ગયા છે, વમાન કાળમાં સંખ્યાતા જીવા માક્ષે જાય છે અને ભવિષ્યકાળમાં અનંતા જીવા માણે જશે. અનંત જ્ઞાની મહાપુરૂષો કહે છે કે હે ભવ્ય જીવા ! એ તમારે મુક્તિ જોઇતી હાય તા ધર્મની આરાધના કરે. ધર્મની આરાધના કરનારા જીવ જ્યારે મુકિત પામવાને ચેાગ્ય ધર્મોની આરાધના કરે ત્યારે મુકિત પામે, ત્યાં સુધી તેને સંસારમાં જે ભવ કરવા પડે, તેમાં પણ તેને સુખની સામગ્રી ઘણી મળે. અને ભવ પશુ સારી ગતિના જ કરે. અને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી સસારના રાગ કરતાં ધમકથાના રાગ વધુ હેાય. અને તે ધર્મકથાના આન ંદથી તે આત્માને ભાન થાય કે ખરેખર ! મેહરૂપી જે મહાવિષ છે તે વિષના ો કાઇ મારક હાય તેા આત્મસ્વરૂપની ઓળખાણુ જ છે. એટલે આત્મામાં સુંદર તત્ત્વની ભાવના જાગે. એટલે સવેગના રસરૂપી જે અમૃત છે તે આત્મામાં પ્રગટે, અને માહરૂપી મહાવિષ વિલીન થઈ જવા પામે અને સવેગના રસ રૂપી અમૃતને પ્રવાહ આત્મામાં વહેતા થાય. તે વખતે તેને અ અને કામની વાતમાં એવા વિવેક થાય કે આ પુણ્ય અને પાપનું ફળ છે. પણ એ ઉપાદેય નથી. અને જ્યાં મેાક્ષની વાત આવે ત્યાં આત્મા એવા આનંદ અનુભવે કે જાણે માક્ષના સુખને સાક્ષાત અનુભવ ન કરી દ્યો હાય ! અમૃત દેવાનુપ્રિયા ! ચાર પુરૂષામાં જ્યારે ધમ અને મેક્ષમાં રસ જાગશે ત્યારે તમને અહીંયા મેાક્ષના સુખને જાણે અનુભવ કરતાં હાય એવા આનંદ આત્મામાં પ્રાપ્ત થશે. જ્યારે તમારામાંથી મેહનું ઝેર નીચાવાઈ જશે ત્યારે તમને આ સંસાર કેવા લાગશે તે ખબર છે ? જે સંસાર તમને સુખના ભરેલા લાગતા હતા તે દુઃખના ભરેલા લાગશે. અનિત્ય અને અપૂર્ણ સુખવાળા દેખાશે. અરે ! સંસારનું સુખ હવે મને ગમતું નથી, એમ તમને લાગશે ત્યારે તમે જાણો કે ખરેખર ! તમારામાં સવેગ પ્રગટયા છે અને માક્ષની ઇચ્છા જોરદાર બની છે. તમે સાંભળ્યુ. તા હશે કે પૃથ્વીચંદ્ર રાજગાદી પર બેઠા બેઠા અને ગુણુસાગર પેાતાના લગ્ન ઉત્સવના ચાલુ પ્રસંગમાં બેઠા બેઠા કેવળજ્ઞાન પામ્યા. વિચાર તેા કરે કે રાજ્યગાદી પર કેવળજ્ઞાન પામનાર પૃથ્વીચંદ્રનુ હૈયુ. કેવું હશે ? અને પોતાના લગ્નના ચાલુ ઉત્સવ પ્રસંગમાં કેવળજ્ઞાન પામનાર શ્રી ગુણુસાગરનું હંસુ કેવું હશે? આ રીતે કેવળજ્ઞાન લેવું તે કંઈ જેવી તેવી વાત નથી. ધર્માંની આરા ધનાપૂર્વક આત્માની કેટલી શુદ્ધિ કરી હશે ? રાજ્યગાદી પ્રત્યે અને લગ્ન પ્રત્યે કેવા ભાવ કેળળ્યેા હશે? તમને ખખર તા છેને? કે વિતરાગ બન્યા વિના કેવળજ્ઞાન આવે નહિ અને વીતરાગપણું, કષાયના સર્વથા ક્ષય થયા વિના આવે ખરૂ? નહિ, અને કષાયને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy