________________
( ૧૧ ) ૧૪ આહાર પાણી કરતાં તેમજ પ્રતિક્રમણ કરતાં કંઈ મહત્વના કાર્ય વગર કોઈને કાંઈ કહે નહિ, એટલે કે કેઈ સંગાતે વાર્તાલાપ કરૂ નહિં, એજ રીતે આપણું ઉપધિની પડીલેહણ કરતાં હું કદાપિ બોલું નહિ.
૧૫ એષણ સમિતિ–બીજા નિર્દોષ પ્રાસુક (નિર્જીવ) જળ મળતાં હોય, ત્યાં સુધી પિતાને પ્રોજન (અપ) છતાં ધણ (વાળું જળ) હું ગ્રહણ કરૂં નહિં, વળી અણગળ (ગળ્યાવગરનું) જળ હું કહું નહિ અને જરવાણી તો વિશેષ કરીને લહું નહિ.
અથ આદાન નિક્ષેપણ સમિતિ નિયમ. ૧૬ આદાન-
નિક્ષેપણું સમિતિ–આપણી પોતાની ઉપાધિ પ્રમુખ પુંછ–પ્રમાઈને તેને ભૂમિ ઉપર સ્થાપન કરૂં. તેમજ ભૂમિ ઊપરથી ગ્રહણ કરૂં. જે તેમ પુંજવા પ્રમાજવામાં ગફલત થાય તે, ત્યાંજ નવકાર મહા મંત્રને ઉચ્ચાર કરૂં (નવકાર ગણું.)
૧૭ દાંડા પ્રમુખ પિતાની ઊપધિ જ્યાં ત્યાં (અસ્ત વ્યસ્ત ઢંગધડા વગર ) મૂકી દેવાય તો, તે બદલ એક આયંબિલ કરૂં અથવા ઊભા ઊભા કાઉસગ્ગ મુદ્રાએ રહી એક લેક યા સો ગાથા જેટલું સક્ઝાય ધ્યાન કરૂં.
૧૮ પરિઠાવણિયા સમિતિ–લઘુનીતિ વડીનીતિ કે ખેળાદિકનું ભોજન પરઠવતાં કઈ જીવનો વિનાશ થાય તો નિવી કરું અને અવિધિથી (સદષ) આહાર પાણી પ્રમુખ વહેરીને પરઠવતાં એક આયંબિલ કરું.
૧૯ વડીનીતિ કે લઘુનીતિ કરવાના કે પડવંધાના સ્થાનેઆણુજાણહ જસ્યુગહો” પ્રથમ કહું, તેમજ તે લઘુ-વડી નીતિ પાણી લેપ ડગલ પ્રમુખ પરઠવ્યા પછી ત્રણવાર “વોસિરે ” કહું.
૨૦ મનવચન-કાય ગુપ્તિ–મન અને વચન રાગમય–રાગાકુળ થાય તો હું એક એક નિવિ કરૂં અને જે કાય કુચેષ્ટા થાય ઊન્માદ જાગે તો ઊપવાસ અથવા આયંબિલ કરૂં.
મહાવ્રત સંબંધી નિયમ. ' ૨૧ અહિંસાવત–બે ઈંદ્રિય પ્રમુખ જીવની વિરાધના મારા પ્રમાદાચરણથી થઈ જાય છે, તેની ઇતિ જેટલી નિવિઓ કરૂં.