________________
કરતાં, પિતાના બંને ભાઈઓને પણ દુકાનમાં પોતાના હાથ નીચે રાખી હોશિયાર બનાવ્યા.
સં. ૧૯૭૯ ની સાલમાં ધંધાના વધુ વિકાસાર્થે તેઓ કલકત્તા ગયા. જ્યાં તેમણે પિતાની ઉદારતા, પ્રામાણિકતા અને સાહસિકતા વડે કાપડની દુકાન સારી રીતે જમાવી.
માત્ર ધંધામાં જ આગળ વધી પૈસા પ્રાપ્ત કરવાં, એવો એકજ માત્ર ઉદેશ તેઓનો ન હતો. પોતાના ગરીબ સ્વધર્મી બંધુઓને આર્થિક મદદ, કેળવણુમાં સહાય વગેરે ગુપ્તદાન પણ તેઓ કરતા, હંમેશાં પ્રાત:કાળે સામાયકવ્રત કરવું, ફુરસદના વખતે ધાર્મિક વાંચનનું અધ્યયન કરવું, ધાર્મિક સાહિત્ય તથા જીવદયાદિ શુભ કાર્યોમાં યથા શક્તિ ફાળો આપ, સાધુસંતની વૈયાવચ્ચ–સેવાભક્તિ કરવી, વગેરે પવિત્ર જીવન ગાળવા માટે કરવા યોગ્ય કાર્યો કરીને તેઓ સંતોષ પામતા. ટુંકમાં તેમના જીવનનાં છેલ્લાં દશ વર્ષો વ્યવહારિક પ્રવૃત્તિ કરતાં ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે ગયા હતા, એમ કહીએ તો તેમાં લેશ પણ અતિશયોક્તિ નથી. - સાધારણ સ્થિતિમાંથી આગળ વધ્યા, ત્યારે તેમને ધાર્મિક કાર્યોમાં જરા વધારે ઉદારતાથી બે પૈસા ખર્ચવાની ઈચ્છા થઈ અને ચોટીલામાં ધાર્મિક અને કેળવણું વિષયક કાર્યોમાં યત્કિંચિત મદદ આપવાની પિતાની ઈચ્છા તેમણે પોતાના ભાઈઓને જણાવી. બંને ભાઈઓએ તેમની આ ઈછા સહર્ષ વધાવી લીધી; પણ ધાર્યું ધણીનું થાય” એ નિયમ મુજબ હીરાચંદભાઈ ન્હોતા જાણતા કે માત્ર ૪૬ વર્ષની ઉંમરે મારે એકાએક આ જગતમાંથી વિદાય લેવી પડશે; તેઓ ન્હાતા જાણતા કે મહારા સ્વહસ્તે હાની સરખી સખાવત કરી હું સંતોષ મેળવી શકીશ કે કેમ ?
સં. ૧૯૯૨ ની સાલ ચાલતી હતી. એ વખતે હીરાચંદભાઈ કલકત્તામાં હતા. તે વખતે તેઓ સહજ બિમાર પડ્યા. આ બિમારી પણ એવી ન હતી. કે જે જીવલેણ નીવડે. પણ હીરાચંદભાઈ માટે તો “આદર્યા અધુરાં રહે, ને હરિ કરે સો હાય ” એવું જ કાંઈ નિર્માણ થયું હતું; તેથી તેઓ એજ અરસામાં સં. ૧૯૯૨ના