SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ મેતાર્ય મુનિ. ઉનાળાના સખ્ત તાપમાં મેતાર્ય નામના એક જૈન મુનિ ગૌચરી અર્થે રાજગૃહિ નગરીમાં નીકળ્યા છે. મુનિવર મહાન તપસ્વી અને સહનશીલતાને અવતાર છે. એક માસના ઉપવાસ છતાં તેમનું તેજ, ગંભીરતા અને આત્મશ્રદ્ધા જેવાને તેવાજ સુદઢ છે. ભિક્ષાર્થે ફરતા ફરતા આ મેતાર્ય મુનિવર એક સનીના ઘર પાસે થઈને જતા હતા. સનીની દષ્ટિ આ સાધુ ઉપર પડી. સોનીએ ઉભા થઈ તેમને વંદન કરીને વહોરવાનું આમંત્રણ કર્યું. મુનિ આહાર માટે સોનીના ઘરમાં ગયા. સોની કેઈ ગ્રાહકને માટે સોનાની જવાળા તૈયાર કરતો હતો. અને તે માટે તે સોનાના જવલાં બનાવતો હતો. મુનિને વહરાવવા માટે કામ એમને એમ પડતું મૂકીને સોની રસોડામાં ગયો અને મુનિને પ્રેમપૂર્વક આહાર પાણી વહરાવ્યાં. જે વખતે તેની આ મુનિને વહોરાવતું હતું, તે વખતે એક કૌંચ નામનું પક્ષી સોનીના ઘરમાં આવ્યું અને પેલાં સેનાનાં બનાવેલાં જવલાં ચરી ગયું. પછી તે ઉડીને સામેના એક ઝાડની ડાળી પર બેસી ગયું. આ દશ્ય મેતાર્ય મુનિના જોવામાં આવ્યું. મેતાર્ય મુનિ આહાર લઈને બહાર નીકળ્યા. હવે પેલો સોની મુનિને હરાવીને કામ હાથમાં લેવા જાય છે કે તરતજ પેલાં જવલાં તેના જેવામાં આવ્યાં નહિ. સોનીને શંકા થઈ કે જરૂર આ મુનિએ જવલાં લીધા હશે. તેથી તે મુનિ પાછળ દેડયો; મુનિ બહુ દૂર નહોતા ગયા તેથી સોની તરતજ મુનિને પકડી લાવ્યો અને તેમને કહેવા લાગે –હે મુનિ, મહારાં જવલાં ચોરી ને લઈ જાવ છો તે પાછા લાવ. મુનિ મૌન રહ્યા, ફરીવાર સોનીએ કહ્યું, છતાં મુનિ બોલ્યા નહિ. મેતાર્ય મુનિને લાગ્યું કે જે હું કહીશ કે આ ઝાડ પર બેઠેલું પક્ષી તારા જવલાં ચરી ગયું છે, તો જરૂર આ સોની આ બિચારા પક્ષીને મારી નાખશે. સનીએ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy