SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ ત્રીજીવાર મુનિ પાસે જવલાં માગ્યાં. છતાં મુનિ શાંત રહ્યા તેથી સોની વધારે ક્રોધાયમાન થયું. તેણે મુનિને ખૂબ માર માર્યો અને ચામડાની દોરીથી મુનિના હાથ પગ વગેરે મજબુત રીતે બાંધ્યા. પછી તેણે મુનિને જવલાં આપવાનું કહ્યું, પણ શાંતમૂર્તિ મુનિવરને તો પરિષહ સહન કરવાનું હતું. તેઓ પોતાના જીવ સમાન જ બીજા જીવોને પણ ગણતા હતા, તેથી તે સઘળું શાંતિથી સહન કરવા લાગ્યા. પછી સોનીએ મુનિને સખ્ત તાપથી ધગધગતી રેતીમાં બેસાડયા, અને તે માર મારવા લાગ્યો. સખ્ત તાપથી આ તપસ્વી મુનિનું શરીર ક્ષીણ થવા લાગ્યું, અને ચામડી ઉતરવા. લાગી. માથામાં પણ ખાડા પડવા માંડયા. પરિણામે મેતાર્ય મુનિની ખોપરી ફાટી અને તડ દઈને અવાજ થયો. સનીએ જાણ્યું કે હવે મુનિ મહારા જવલાં પાછા આપશે, પણ મુનિવર તો જેમ જેમ પરિસહ પડતું જાય તેમ તેમ સમભાવે સહન કરે, જરા પણ રોષ સેની ઉપર ન લાવે અને આત્માની અપૂર્વ ભાવનાનું સ્મરણ કરે. આવી રીતે આત્માની ઉચ્ચ દશાને ભાવતાં ત્યાંજ શ્રી મેતાર્ય મુનિવરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમનો અમર આત્મા દેહથી જુદો પડીને નિર્વાણપદને પામ્યો. તેવામાં એક બાઈ માથે લાકડાને ભારો લઈને જતી હતી. અતિશય ભાર લાગવાથી તેણે તે ભારો સોનીના ઘર આગળ જોરથી પછાડયો. ભારો નીચે પડવાથી મેટ અવાજ થયે. જેથી પેલું ઝાડપર બેઠેલું ક્રૌંચ પક્ષી બન્યું. તેનું મેટું એકદમ પહોળું થઈ ગયું. આથી પેલાં ચરી ગયેલાં જવલાં તેના મોઢામાંથી બહાર નીકળી ગયાં અને નીચે પડયાં. સોનીની નજર તરત જવલાં તરફ ગઈ. જવલાંને જોતાં જ તે ઠંડોગાર થઈ ગયો. મુનિને વિના વાંકે દુઃખ આપ્યા બદલ તે ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગે. સોનીને લાગ્યું કે મુનિવરને મારી નાખ્યાની
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy