SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ તે પગ નીચે મૂકવાનો વિચાર કર્યો, તેવામાં તે જગ્યાએ એક સસલો તારા જેવામાં આવ્યો. પ્રાણી છવની મહાન દયાની ખાતર તે તારા પગ નીચે ન મૂકતાં અધર રાખ્યો. હે મેઘ, તે જીવદયાના મહાન પ્રભાવે તે તારે સંસાર કાપી નાખ્યો, અને મહાન રત્નચિંતામણિ સમાન અમૂલ્ય મનુષ્યભવને બંધ કર્યો. તે વનદવ અઢી દિવસ સુધી રહ્યો. અને પછી શાંત થવાથી પ્રાણીઓ ફરવા લાગ્યા. સસલો પણ ત્યાંથી ખસી ગયો. આટલો વખત અધર પગે ઉભા રહેવાથી, તું નિર્બળ, અશક્ત બની ગયે. અને પગ નીચે મૂકતાની સાથે જ તું એકદમ નીચે ઢળી પડે. અત્યંત વેદના પામી ત્યાં જ તું મરણ પામ્યો અને તે જીવદયાના પ્રતાપે તું મેઘકુમાર થયો. તિર્યંચના ભવમાં જ્યાં સમક્તિ પ્રાપ્તિની આશા પણ ન્હોતી, તે વખતે અપાર કષ્ટ વેઠીને તેં સમતા દાખવી ! તો ઉત્તમ કુળમાં જન્મીને, અને જૈન ધર્મ પામીને સાધુ મુનિના હાથપગના સંધર્ષણની અલ્પ કિલામના પણ હે મેઘ, તું સહન ન કરી શકો તે કેટલા ખેદની વાત ? | મેઘ મુનિ આશ્ચર્યમુગ્ધ બન્યા. ગતરાત્રિએ કરેલાં અશુભ વિચારોનો તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આમ વિચાર કરતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તે વડે ભગવાનની વાત સત્ય માનીને વૈરાગ્ય ભાવનામાં ચડયા. પ્રભુ પાસે પુનઃ તેમણે દીક્ષા લીધી. સખ્ત તપ જપ ધ્યાન ધરી સર્વ નિગ્રંથને ખમાવીને સંથારો કર્યો, એક માસનો સંથારો ભોગવી સમાધિ સહિત કાળ કરી તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતાપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી વી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મેક્ષ જશે. ન્યાય–જેવી રીતે ભગવાન મહાવીરે મેઘકુમારને મધુર વચનથી સમજાવી સંયમમાર્ગમાં સ્થિર કર્યો, તેવી જ રીતે આચાર્યો કોઇપણ અવિનિત. શિષ્યને મધુર વચનથી સમજાવી સંયમ માર્ગમાં સ્થિર કરે.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy