________________
પ્રમત્ત જીવયશા.
૨૪૩
તેને વૈર આપણા માથે છે, તેથી તમારે માહારી આજ્ઞા વિના નગરમાંહે ભમવું નહીં. તે સાંભલી વસુદેવજી ઘરમાં બેઠા રહે છે. એકદા ઉષ્ણકાલને વિષે શિવાદેવી રાણીયે બાવનાચંદન ઘસી કચેલું ભરી દાસીને હાર્થે રાજાને મોકલ્ય. તે વચમાંહેજ વસુદેવજીયે લઈ વિલેપન કીધે. તેવારે દાસીયે કહ્યું કે, તમારા એવાં લક્ષણ છે ત્યારેજ બંદીખાને પડયા છે. તે વાત સાંભળી મનમાં અમર્ષ આણ વસુદેવ પરદેશે નીક. કઈ મૃતક મનુષ્ય ગામને બાહેર બાલી પત્ર લખ્યું જે વસુદેવ વન્ડિસરણ થયા તે વાત જાણું રાજા અત્યંત દુઃખ કરતા હવા. પછી નિમિત્તિ આયેં કહ્યું કે, વસુદેવ કુશલેં છે. તમને શે વર્ષે મલશે. તે સાંભળી રાજાર્યો શેક નિવાર્યો. શ્રી વસુદેવજી ઠામે ઠામેં અનેક ઋદ્ધિ, વૃદ્ધિ સુખ સંપદા પામી બહોતેર હજાર રંભારૂપ સ્ત્રીના પાણિગ્રહણ કરી અનેક વિદ્યા શિખ્યા. છેલ્લે રેહણના સ્વયંવરામંડપમાં વામણનું રૂપ કરી રેહિણીને પરણ્યાં. તિહાં શેવર્ષે સર્વ ભાઈઓને મલયા. વલી પિલાસપુરે દેવક રાજાની પુત્રી દેવકી પરણ્યા. સર્વ સ્ત્રી એકઠી કરી પછી વસુદેવજીને કંસરાજાયે ઘણી મહાર કરી મથુરામાં પિતા પાસું રાખ્યા. જેમ વસુદેવ અને કંસને પરસ્પર્શે પ્રીતિ છે તેમ જીવયશા અને દેવકીને પણ પરમ સનેહ છે. એકદા જીવયા છાકમાં પિતાના ખંધ ઉપર દેવકીજીને તેડીને ગર્વે કરી કીડા કરે છે. એવામાં ઉગ્રસેન રાજાના એક કંસ બીજે નભસેન, ત્રીજે અર્ધમત્તા, એ ત્રણ પુત્ર હતા અને સત્યભામાં તથા રાજીમતી એ બે પુત્રીઓ છે, તેમાં જેવારે ઉગ્રસેનને કસું પાંજ