SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 231 અદત્તાદાનનું સ્વરૂપ શું છે? સૂત્રના પ્રસ્તુત આલાવામાં ચીર્યકર્મ કરવાની આદત, જેની નસેનસમાં પડી ગઈ હોય છે તે માણસેના બાહ્ય અને આત્યંતર સ્વભાવે કેવા હોય છે? તેનું નિરૂપણ નીચે પ્રમાણે જાણવું. (1) ટુર–એટલે હરણ કરવું. ચેરનું મન હંમેશા પારકાનું ધન પિતાને સ્વાધીન કરવાનું હોવાથી તેઓ આ પ્રમાણે બેલતા રહે છેઃ “આનું ધન હરી લે, ખેતર પડાવી લે, આની ડેશી મરી જાય કે તત્કાળ તેનું ઘર કબજે કરી લે, વ્યાજમાં ગોટાળા કરીને પણ તેની થાપણ પચાવી લે” ઈત્યાદિ વિચારે તેમને રાત-દિવસ આવતા હોય છે. (2) વહ-પાડોશી ન માને તે કેઈને ખબર પડવા ન પામે તેવી રીતે તેના મકાનમાં કે વાડામાં આગ લગાવી દઈએ, જેથી હતાશ થયેલા તેમની જમીન આપણે પચાવી લઈશું. (3) મરણ–સામેવાળો લેવા દેવામાં આપણું કહ્યું ન માને તે તેને ઝેર દઈને કે જંગલમાં લઈ જઈ ધારિયાથી પણ મારી નાખીએ. જેથી તેની મિલકત, મકાન, જમીન આપણુ કબજે આવી જશે. (4) ભય-શસ્ત્રાદિને ભય બતાવીને પણ સામેવાળાનું ધન હરી લેવું. કેમકે આ માણસને ભય બતાવ્યા વિના ચાલે તેમ નથી.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy