SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ર૪ : ઉદ્દેશે ૧૨ પૃથ્વીકાયમાં જન્મ લેનારા કેણ? હે પ્રભો! જે જીવે આવનારા ભવે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવાની યેગ્યતાવાળા છે, તે કઈ ગતિમાંથી આવનાર છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, કેવળ નરકગતિને જીવે પૃથ્વીકાયમાં અવતાર લેતા નથી, શેષ ત્રણે ગતિઓના જીવે પૃથ્વીકાયમાં જન્મ લે છે. યદિ તિર્યંચ ગતિમાંથી નીકળીને પૃથ્વીકાયમાં જન્મ લેતા હોય તે શું એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાંથી આવે છે? એકેન્દ્રિયમાં પણ શું પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય કે વનસ્પતિકાયમાંથી આવે છે? પૃથ્વીકાયમાં પણ શું સૂક્ષમ કે બાદરમાંથી આવે છે? બાદરમાં પણ પર્યાપ્ત કે અપર્યાપ્ત છે પૃથ્વીકાયમાં જન્મતા હશે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! એ કેન્દ્રિય જીવે થાવત્ વનસ્પતિકાયના જી સુધી જાણવું. સૂક્ષ્મ, બાદર, પ્રર્યાપ્તા અને અપર્યાપ્તા એકેન્દ્રિયે પૃથ્વીકાયત્વને પામી શકે છે. તેમનું જઘન્યથી એક અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાવીશ હજાર વર્ષનું આયુષ્ય છે. એક સમયમાં નદીના પ્રવાહની જેમ નિરંતર અસંખ્યાત જી જન્મે છે. છેલ્લું સંઘયણ આદિની ચાર લેશ્યા, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની (મતિ અને શ્રત અજ્ઞાન) કેવળ કાયયેગી, બંને ઉપયેગી, આહારાદિ ચારે સંજ્ઞા, કેવળ સ્પર્શેન્દ્રિય, કષાય, મારણાંતિક સમુઘાત, સાતા અસાતા વેદના, નપુંસક વેદ, શુભાશુભ અધ્યવસાય, યદ્યપિ અધ્યવસાયે મનને અધીન હોય છે અને એકેન્દ્રિયને મન હેતું નથી. છતાં
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy