SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭ શતક ૩૪મું : ઉદ્દેશક-૧ (૯) વૃષ્ટિને અભાવ અર્થાત્ દુષ્કાળ વગેરે થતું નથી. (૧૦) દુર્મિક્ષ એટલે ભીક્ષાને અભાવ વર્તાતે નથી. (૧૧) દેશશી કે પરદેશથી ભયને ઉત્પાત થતું નથી. ઉપર પ્રમાણેના અગ્યાર અતિશના કારણે, જનમાનસ તીર્થંકર પરમાત્માના ચરણે નતમસ્તક બને છે, એટલે કે તેમના પુણ્યાતિશયમાં માનવ માત્ર પોતાની જાત, પાત, પંડિતાઈ, હશીઆરીને દેશવટો આપે છે અને પરમાત્માના ચરણેમાં બેસીને અનાદિકાળના સંસારમાં કેઈ કાળે ન જોયેલી, સાંભળેલી, અનુભવેલી કે વિચારેલી અદ્ભુત પરિસ્થિતિને અનુભવ કરે છે તથા સમ્યગદર્શનની પ્રાપ્તિ થયા પછી જ્ઞાન અને ચારિત્રના પૂર્ણ રાગી બનીને કેવળજ્ઞાન મેળવવા માટે નશીબદાર બને છે. ઓગણીશ દેવના કીધ. સમ્યકત્વી હોય કે મિથ્યાત્વી હોય, મનુષ્ય હોય કે દેવ હોય તે બધાય, અપાયા પગમાતિશાયી, વચનાતિશાયી, પૂજાતિશાયી અને જ્ઞાનાતિશાયી કેવળી ભગવંતેને પિતાના અવધિ જ્ઞાનવડે કે પ્રત્યક્ષરૂપે જ્યારે જુએ છે ત્યારે દેવોને તથા ઈન્દ્રોને પણ પોતાની દેવમાયા સર્વથા અસાર લાગે છે. કપૂરની ગોટી જેવા રૂડા-રૂપાળા શરીરે પણ રોગગ્રસ્ત જેવા લાગે છે. અત્તરની વાવડીએ પણ વિજલીના ચમકારા જેવી અસ્થિર અને એક દિવસે છોડવી પડશે તેવું લાગે છે. અને પૂનમના ચાંદા જેવી, સુગંધના ખજાના જેવી, પરસેવાથી રહિત, સર્વથા સ્વાધીન તેવી દેવીએ અને તેની સાથેના ભેગવિલાસે પણ અધ:પતન કરાવનારા લાગે છે.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy