SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૩મું ઉદ્દેશક-૧ ૩૩૩ ઉપર પ્રમાણેના ત્રણે પ્રકારેમાં આપણે આજે પણ જોઈ શકીએ છીએ કે મહાવીર સ્વામીના શાસનને માનનારા સાધુસાવીઓની કરણી અહિંસક છે, તેમને ખોરાક અહિંસક છે, ભાષા અને વ્યવહાર અહિંસક છે. યદિ સંપૂર્ણરૂપે અહિંસા ન પાળી શકાતી હોય તે હડહડતા કલિયુગમાં તથા ભૌતિક વાદના સુંવાળા જમાનામાં પણ જૈન સાધુઓ તેવી સૂક્ષ્મ અહિંસાને શી રીતે પાળતા હશે? તેમના અનુયાયિર લક્ષાધિપતિ અને કરેડાધિપતિ હોવા છતાં પણ – (૧) જૈન સાધુ કોઈ દિવસે પણ મટર, સાઈકલ, રેલગાડી, વિમાન, બળદગાડી આદિ વાહનમાં બેસતા નથી. ચામડાના બુટ-ચંપલ પહેરતા નથી અને પાદવિહાર કરી દેશના ખૂણે ખૂણે વિચરી રહ્યાં છે. (૨) લાખ કરોડના દાનપુણ્યને કરાવનાર જૈન મુનિઓ મસ્તક, દાઢી, મૂછ પર ઉગેલા વાળનું પિતાના હાથે લુચન કરે છે. (૩) બાગબગીચાઓમાં હરવા ફરવા છતાં પણ ત્યાં રહેલી એકેય નાની મોટી વનસ્પતિ, ફળ ફૂલ આદિને સ્પર્શ પણ જૈન મુનિઓ કરતા નથી. ગેહુ-ચણ આદિ ધાન્યના દાણપર કે ઝાડના પાંદડા, ડાળી આદિ પર પિતાને પગ હરહાલતમાં પણ મૂક્તા નથી. (૪) ગરમ કર્યા વિનાના વાવડી, કુવા, નળ આદિના પાણીથી પગ ધાતા નથી, સ્નાન કરતા નથી, વસ્ત્રપ્રક્ષાલન કરતા નથી, કેમકે કાચાપાણીને સ્પર્શ સર્વથા ત્યાજ્ય છે. (૫) કેઈ પણ જાતના ફૂલની માળા, કે અપવાદ પ્રાપ્ત થયે છતે પણ સીવેલા વનું પરિધાન કરતા નથી. ગત રે છે. છે અને ૬ * *
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy