SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મનને “ પાંચે ઇન્દ્રિયાના વિષયમાં અત્યાસક્તિ જ મેલ કહેવાય છે. માટે મેલ વિનાના થવાના પ્રયત્ન કરવા તે મનની શુદ્ધિ છે. તેથી ધ્યાનથી પવિત્ર થયેલા જ્ઞાનરૂપી જળમાં જે સ્નાન કરશે તે પરમ ગતિ મેળવે છે. સ્મૃતિએ પણ કહે છે કે “ બ્રહ્મચારી સવા શુદ્ધિઃ 99 ૨૦૨ ભાત્માની શુદ્ધિ માટે શરીરશુદ્ધિ મૌલિક કારણુ ન હોવા છતાં પણ ગૃહસ્થાશ્રમીને સ્નાન કર્યાં વિના ચાલતુ નથી; માટે સ્નાન કર્યાં પછી અરિહંતાનુ પૂજન તથા ધ્યાન કરવું જોઇએ જેથી સ્નાન સમયે પાણીના જીવાની થયેલી વિરાધના નાશ પામશે અને માનવતાને અહિંસા ધર્મોને રગ લાગશે. (૨) વિપાક વિચય ધર્મધ્યાનઃ-જ્યાં સુધી જીવાત્મા, શરીરથી સબધિત છે ત્યાં સુધી પૂર્વભવમાં કરેલા પાપાચાર, અભદ્ર વ્યવહાર, માયાચાર તથા મિથ્યાચારના માધ્યમથી રાગદ્વેષાત્મક ઋણાનુબંધન જે જે જીવે સાથે બાંધેલા છે તેમના વિષાક–ફળાદેશ અર્થાત્ કરેલા કર્મોના ભોગવટા કર્યાં વિના છુટકો નથી. વિયેગ-દુઃખ-દારિદ્રય-શાક-સ તાપ આદિ, કરેલા પાપકમાંના વિપાક છે; માટે ભોગવ્યા વિના ખીન્ને મા નથી. આવી પરિસ્થિતિમાં જ્યારે કર્મોના ફળ ભાગવવાના જ છે તે પછી સમ્યગજ્ઞાનપૂર્વક, સમજદારી અને સહનશીલતા કેળવીને ભાગવવામાં જ આત્માનું કલ્યાણ છે અને ભાગવાતા દુઃ ખા હળવા થશે, અન્યથા રાતા રાતા, રીખાતા રીખાતા તથા ક્રોધ સામે ક્રોધ, વૈર સામે વૈર, ભૂંડાઈની સામે ભૂંડાઈ આદિના અવળે રસ્તે ચડ્યાં તે જે જીવા આપણા શત્રુ બનીને આવ્યા છે તેમને ઋણાનુબંધ તૂટશે નહી પણુ વધશે, જે આવતા ભવામાં પણ માર ખવડાવ્યા વિના રહેવાના નથી.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy