SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૩ ૬૧૭ ઉપર્યુક્ત એકેય ભાવ હોઈ શકતું નથી. આ બધી વાતે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહી છે. બીજા દર્શનવાળા જે પુરુષ અને પ્રકૃતિને માને છે તેઓ આમ કહે છે કેપુરુષ સર્વથા નિર્દોષ, નિર્લેપ, અકર્તા અને કેવળ દ્રષ્ટા હેવાથી કંઈપણ કરતું નથી, જ્યારે સંસારની માયાના નાટક જેમાં ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેસવાનું, પરણવાનું આદિની કિયાઓ રહેલી છે, તે બધી પ્રવૃતિ કરે છે જે સર્વથા જડ છે. પરંતુ ઉપરની માન્યતા તથ્ય પૂર્ણ એટલા માટે નથી કે પુરુષથી પ્રેરિત થયા વિના જડ પદાર્થ કંઈ પણ કરી શકો નથી, ચેતના શક્તિ ગયા પછી મૃત શરીરને કંઈ પણ પ્રવૃત્તિ કરતાં કોઈએ જોયું છે? શરીર અને આંખ-કાન-નાક-સ્પર્શ આદિ બધુંય પૂર્વવત્ હોવા છતાં પૂરે સંસાર એક અનુભવ કરી રહ્યો છે કે, જડ પ્રકૃતિ કેવળ સાધન છે જે પરતંત્ર હોય છે અને જીવાત્મ પિતે સ્વતંત્ર હોવાથી ક્રિયા માત્રને કર્તા છે. સાતે નારકમાં ક્રિયા કરનાર આત્મા સર્વથા સ્વતંત્ર હવાથી કર્તા છે, જેની પ્રેરણા વિના કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન કે અધિકરણદિ સર્વથા નિષ્ક્રિય છે. - બીજી વાત એ છે કે પ્રકૃતિને કર્તા માનીએ તે અઢાર પાપને પ્રકૃતિ કરે અને તેનાથી ઉપાર્જિત નરકાદિના દુઃખ (ફળ) પુરુષ આત્મા ભગવે તે શી રીતે બનવા પામશે ? અને કદાચ બને તે સંસારની બધી વ્યવસ્થામાં ગોટાળા થયા વિના રહેશે નહીં, પરંતુ અનાદિ કાળથી ચાલ્યા આવતા સંસારના સંચાલનમાં કેઈએ પણ ગડબડ થએલી જોઈ નથી, જેવાતી નથી, અને જેવાશે પણ નહીં, આ કારણથી દિવ્ય જ્ઞાનના સ્વામી દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે આત્મા પિતે જ ક્રિયાઓને કરે છે, ભગવે છે, સંસારમાં રખડે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy