SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૦મું ઉદ્દેશક-૨ ૫૮૯ ( ३ ) अनभिव्यक्त क्रोधमान स्वरूपम प्रीतिमात्र द्वेषः (ભગ. ૮૦) ચેતન કે અચેતન પદાર્થ પ્રત્યે થતાં શ્રેષના મૂળમાં છુપાઈને કોધ તથા માન પડેલા જ હોય છે, જે કારણે આપણું સામે અણગમતી (મેટર) વાત આવે છે ત્યારે આંતર જીવનમાં છુપાયેલા ક્રોધ પિતાના દાવપેચ રમવાની શરૂઆત કરે છે અને અભિમાનને સથવારે મળતા જાણે અગ્નિમાં ઘી હોમાયું હોય તેવી અવસ્થા જીવાત્માની થતાં આપણા રેમેરામમાં સામેવાળાનું કાટલું કાઢવા માટે આર્તધ્યાન થાય છે અને બે કાબૂ થયેલું આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં પ્રવેશ કરતા કેઈની કે કોઈના ગુણઠ્ઠાણુઓની પણ શરમ રાખતું નથી. છડું ગુણઠ્ઠાણું પ્રમત સંયમીનું છે. શુદ્ધ શ્રદ્ધા અને સંવેગપૂર્વક સંયમની આરાધના કરતાં પણ બાહ્ય પૌદ્ગલિક પદાર્થના નિમિત મળે છે ત્યારે હઠ ફડક્યા વિના રહેતા નથી, તે સમયે સાધકની જ્ઞાનમાત્રા પર પડદો આવે છે અને દીક્ષા લેતાં પહેલા માતાપિતા, તથા બહારના પૌદ્ગલિક પદાર્થોને સિરાવી દીધા પછી પણ પાતળું કપડું, પાતળી મલમલ અને બીજા પણ સારા પદાર્થો સાધકને દ્વેષમાં તાણને પવિત્ર સમાધિમાંથી ચલિત કરી શકે છે. આ કારણે જ છઠે ગુણસ્થાનકે કષાયની વિદ્યમાનતાને શાસ્ત્રકારોએ નિષેધી નથી. (४) अन्यथाऽवस्थिते हिवस्तुन्यन्यथा भाषण दोषः (પ્રજ્ઞા. ૨૫૫) આત્મ પ્રદેશમાં જ્યારે પર્યાયનું પરિણમન થાય છે ત્યારે સામેવાળે બહુશ્રુત હોય, તપસ્વી હોય, સંયમમાં સ્થિર
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy