SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ૫૮૧ બંનેને બારમે ચન્દ્ર હોવાથી એકવાર નહીં પણ હજારો વાર અનુભવ કરી જુઓ કે ક્રોધી માણસને પિતાના વ્રત, નિયમ અને પ્રત્યાખ્યાને કંઈ પણ યાદ રહેતા નથી. આ બધી વાતથી એટલું જ જણાય છે કે ક્રોધમાં દોષથી અતિરિકત બીજું કંઈ પણ નથી માટે ત્યાજય છે. | મારા કરેલા કર્મો જ મારે ભેગવવાના છે માટે બીજા ઉપર કોધ કરવે નકામે છે, ગાળે ભાંડવી બેકાર છે. આ પ્રમાણે કરવાથી ક્રોધને નિગ્રહ થાય છે, જે ધર્મ છે. (૯) માનવ વા –માન કષાયને ત્યાગ કર તે માનવિવેક છે, યદિ માનને ત્યાગ ધર્મ હોય તે માન-અભિમાન–ગર્વ–અહંકાર અને આઠે પ્રકારનો મદ પાપ છે, અધર્મ છે. અનાદિકાળથી આપણે આત્મા મિથ્યાત્વનાં કારણે સુકાઈ ગયેલા ચામડાને જે કઠણ બને છે, જેમાં મૂળ કારણ માન કષાય છે, કેમકે ગર્વિષ્ઠ માણસ, વડિલે, પૂજ્ય, ગુરુઓ માતા પિતાઓને ભક્ત કઈ કાળે બની શક્યું નથી, માટે એમની સારી શિખામણને સાંભળવા માટે પણ તૈયાર નથી હેતે. તે આત્માને નરમ કરવા માટે તેની પાસે એકેય માર્ગ નથી. ફળસ્વરૂપે સંસારભરના બધાય માન કરતાં આ ઘમંડી લાલે ખાવામાં, પીવામાં, ચાલવામાં, બોલવામાં અને બીજાએને જવાબ દેવામાં સર્વથા જુદા પડતાં અનુભવાય છે. ભાંગને પ્યાલો પીધા પછી સૌથી પહેલા શરીરમાં માદકતા આવે છે, હાથ-પગ-આંખમાં કંઈક ગરમી વધે છે અને ત્યાર પછી પીનારને પૂર્ણ નશે ચડે છે. આ પ્રમાણે પૂર્વભવના કરેલા, આચરેલા, વધારેલા અને ચિકણબંધને બાંધેલા ચારિત્ર્ય મેહનીય કર્મના કારણે જાતકને જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય,
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy