SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ , શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કૃષ્ણ-નીલ અને કાપત નામે ત્રણ લેશ્યાઓ તેમને હોય છે. કેઈ સમ્યગદષ્ટિ અને કોઈ મિથ્યાદષ્ટિસંપન્ન હોય છે, પરંતુ મિશ્રદષ્ઠિત્વ તેમને નથી. કેમકે સાસ્વાદન સમ્યકત્વથી પતિતને બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થવાના સમયમાં અપર્યાપ્તિ અવસ્થામાં સમ્યગ કે મિથ્યાષ્ટિની સંભાવના છે, પણ મિશ્રદષ્ટિની સંભાવના નથી. મતિ, કૃતજ્ઞાન, શરીર અને વચન યેગી અને છે દિશાને આહાર કરનારા છે. તેમને ઈષ્ટ કે અનિષ્ટ રસો કે સ્પર્શીને વિષય કરનારૂં પ્રતિ સંવેદનનું જ્ઞાન હોતું નથી, તેમ છતાં તેઓ આહાર કરે છે, સ્પર્શ કરે છે પણ તે વિષયનું જ્ઞાન નથી હોતું. આ રસ કે સ્પર્શ મને ગમે છે, આ નથી ગમતું, આવું તેમને નથી. આ પ્રમાણે ત્રણ અને ચાર ઈન્દ્રિય જીને પણ જાણવાં, વિશેષમાં બેઈન્દ્રિય જીને સ્પર્શ તથા રસ, ત્રણ ઇન્દ્રિય જીને સ્પર્શ—રસ અને ઘાણ. જ્યારે ચાર ઇન્દ્રિય જીવને સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ હોય છે. બેઇન્દ્રિય જેની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી બાર વર્ષની છે. ત્રીરિન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ દિવસની તથા ચતુરિન્દ્રિયની છ મહિનાની છે. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની જાણવી. પંચેન્દ્રિય જીવેને છ વેશ્યા, ત્રણ દષ્ટિ, મતિ-શ્રુતઅવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન નામે ચાર જ્ઞાન, જ્યારે અતીન્દ્રિયને કેવળજ્ઞાન પણ હોય છે. પંચેન્દ્રિય તિર્યંચે સંજ્ઞી અને અસંજ્ઞી બે પ્રકારે છે. સંજ્ઞીને મન હોવાથી ઈષ્ટ અનિષ્ટને ખ્યાલ રહે છે અને મન વિનાના અસંશીઓને “હું આહાર કરૂં છું” આવી વિચારણા નથી.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy