SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે અને પાપકમી જીવાત્માના કારણે ભૂમિનું હવામાન સૌને માટે પ્રતિકુળ બને છે. તમે પણ પુણ્યશાળી છે. પણ સમજો કે બપોરના સમયે તમારા પુણ્યમાં પંચર પડે અને બારી પાસે બેસવા છતાં તમને હવા મળતી નથી. મળે છે તે દુર્ગધ વાળી મળે છે, અને તમારા ઉઠયા પછી તે બારી પાસે બીજે માણસ બેસે છે અને હવા પણ શીતલ તથા સુંગધી થઈ જાય છે. આમાં શું કારણ? હવામાં રહેલા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ શાથી બદલાયા? કેણે બદલ્યા? કયારે બદલ્યા?આ પ્રશ્નોને ઉકેલ અનુભવ જ્ઞાનના માલિક જ ઉકેલી શકે છે. જ્યારે પુસ્તકના જ્ઞાની ગાથાઓને ફેરવી ફેરવીને થાક્યા પછી ઉકેલી શકતું નથી. આ કારણે સંડાસ સાફ કરનારી ભંગણને હજારે ગાળો ભાંડતા કહેશે કે ભંગણ સમયસર કેમ આવતી નથી? પૈસે આપીએ છીએ? આ પ્રમાણે એક સાધક દુર્ગધના કારણે પિતાના સંયમ યેગને આર્તધ્યાનમાં તાણીને પિતાના અશાતા વેદનીયના ખજા નાને વધારશે. જ્યારે અનુભવજ્ઞાની તે સમયે વિચારશે કે મારા હજારે પ્રકારના પુણ્યકર્મની વચ્ચે ૨-૪ કલાક માટે પાપકર્મનાં મિશ્રણને ઉદય છે. જેથી ભંગણ આવતી નથી. પિતાના આત્માને સમજાવતા કહેશે કે “આના કરતાં પણ ભયંકર દુર્ગધને અનુભવ મેં નરકમાં કર્યો છે તે મનુષ્યભવમાં મારા પાપના કારણે થોડા સમય પૂરતી દુર્ગધથી મારા સંયમ યેગને હું શા માટે બગાડું? આ પ્રમાણે સ્પર્શ-રસ અને વર્ણ સંબંધી વિચારણામાં અનુભવી આત્મા પિતાના સંયમને વાંધો આવવા દેતું નથી, જ્યારે પુસ્તક પંડિતે વાતે વાતે સંયમ ગુણઠ્ઠાણાને દૂષિત કરશે. માટે શ્રીપાળ રાજાના રાસમાં મહોપાધ્યાય યશવિજયજી મહારાજે કહ્યું કે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy