________________
શતક ૧૯ મું : ઉદ્દેશક–૫ નારકે શું ચરમ છે? કે પરમ છે?
ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે! નારક શું ચરમ છે કે પરમ છે? અહીં ચરમ અલ્પ આયુષ્યવાળા નારકો અને પરમ એટલે દીર્ઘ આયુષ્યવાળા નારકે જાણવાં. જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નારકો ચરમ અને પરમ પણ છે.
ફરીથી ગૌતમસ્વામીએ પૂછયું કે અલ્પ આયુષ્યવાળા નારકે કરતાં દીર્ઘ આયુષ્યવાળા (પરમ) નારકે શું મહાકર્મવાળા, મહાકિયાવાળા, મહાઆશ્રવવાળા અને મહાવેદનાવાળા છે ? અને દીર્ઘ ઉમ્રવાળા નારકેથી અલ્પ આયુષ્યવાળા નારકે શું અપ કર્મવાળા, અલ્પ ક્રિયાવાળા, અ૯પ આશ્રવવાળા અને અલ્પ વેદનાવાળા હોય છે?
જવાબમાં ભગવંતે ‘હા’ કહી છે. અર્થાત્ પ્રશ્ન પ્રમાણે જ ઉત્તર સમજ.
કારણમાં કહેવાયું છે કે કર્મોની સ્થિતિની અપેક્ષાએ આ વાત છે, અર્થાત્ અલ્પ આયુષ્યવાળા નારકેની નરક સ્થિતિ હવે બહુ ઓછી રહી છે અને તે પહેલાં ઘણું ઘણું કર્મો, વેદનાઓ વગેરે ભેગવાઈ ગયેલા હોવાથી તેઓ અલ્પ કર્મ વાળા, અપ કિયાવાળા, અલ્પ આશ્રવવાળા અને અલ્પ વેદનાવાળા કહેવાયા છે. જ્યારે દીર્ઘ આયુષ્યવાળા પરમ નારકેની કર્મ સ્થિતિ ઘણી દીર્ઘ હોવાથી તેમને કર્મો પણ ભેગવવાના ઘણા શેષ છે. માટે તેઓ મહાકમ, મહાકિયાવંત, મહાશ્રવી અને મહાવેદનાવાળા હોય છે.