SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક–૧૦ ૪૯૭ (૪) સ્વસ્ત્રીમાં પણ સંતેષ કેળવવાને માટે જે રીતે બનશે તેવી રીતે હું સ્વસ્ત્રીના સંસર્ગમાં સંયમ કેળવીશ, એટલે કે ભેગ રાત્રિ સિવાય બીજી બધી વાતે મારા મનને કંટ્રોલમાં રાખીશ, જેથી બીજા-કઈ પ્રકારે તેની સાથે ગંદી ચેષ્ટા, ગંદુ ભાષણ, ન થવા પામે અને–થવાને પ્રસંગ આવશે તે પણ હું ટાળવાની દાનત રાખીશ. (૫) ભાગ રાત્રિ વિનાના દિવસ રાત્રિમાં કામની ઉત્પત્તિ ન થાય તેવા પ્રકારના મિષ્ટાન્ન, અતિભેજન, કામકથા કે ભેગવેલા પ્રસંગોને પણ યાદ કરીશ નહી. મહાવીરસ્વામીને ધર્મની પ્રાપ્તિ થયા પહેલા જે કઈ યાદદાસ્ત સ્થાને, ચિત્રો, કથાઓ કે સંગીતે હશે તેને પણ ઘરમાંથી અને હૈયામાંથી દૂર કરીશ. ઉપર પ્રમાણેના નિયમપૂર્વક હું મારું પવિત્ર વ્રત-જે મારા જીવનમાં પ્રથમવાર જ ઉદયમાં આવ્યું છે, તેને જીવના જોખમે પાળીશ અને બ્રહ્મચારી, વ્રતધારી, તપસ્વી તથા સ્વાધ્યાયી મહાપુરુષને સહવાસ કરીશ. (૫) પરિગ્રહ પરિમાણવ્રત ઃ | સ્વીકારેલી સ્ત્રી જ મોટામાં મોટો પરિગ્રહ જેના ભાગ્યમાં પડ્યો હોય તે સાધક બાહ્ય કે આત્યંતર પરિગ્રહને ત્યાગ કરી શકતો નથી. આકાશમાં રહેલા ગ્રહોને ડાઘણા બાકુળા આપ તલને કે મમરાને લાડ આપો કે રૂમાલ માટે પણ કામમાં ન આવે તેવું લાલ-પીળું–લુગડું આપો તે પણ તે બિચારા દેનાર ઉપર–રાજી થતા ટાઈમ લગાડતા નથી.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy