SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંથહુ ભા. ૩ આ બધી વાતાની યથાર્થતા સમજ્યા પછી તે સેામિલે પરસ્ત્રીગમનરૂપ મૈથુન વિરમણને સારી રીતે પાળવા માટે નીચેના નિયમાને ધારણ કર્યાં છે. કેમકે નિયમ વિના યમ ( મહાવ્રત) પાળવા લગભગ અશકય છે. (૧) મારી ધર્મ પત્નીની ગેરહાજરીમાં કે બીમારીમાં મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મારા ઘરની દાસીને ભાડુ આપી તેનામાં સ્વસ્રીની કલ્પના કોઈ કાળે કરીશ નહીં. કેમકે હૈયામાં દુરાચારની ભાવના વિના બીજાની સ્ત્રીમાં પેાતાની પત્નીની કલ્પના થતી નથી. (૨) અત્યારે તે સ્ત્રી પારકાની ગ્રહણ કરાયેલી નથી. ચાહે પછી તે કન્યા હાય, વિધવા હેાય કે બીજી કોઈ હેાય તે પણ તેમની સાથે ગમન કરવાની કલ્પના હું કરીશ નહીં. અથવા પરદેશ ગયેલા પતિના વિયેાગથી વિલ બનેલી સધવા અથવા ત્યક્તા કદાચ થાડા સમય માટે મારી પત્ની બનવા માંગે તે એ તે વાત હું સ્વીકાર કરીશ નહીં. (૩) મારી ધર્મપત્ની કરતાં પણ બીજી કન્યાએ રૂપવતી કે મદમાતી હાઈ શકે છે. તેથી મારા મનમાં ખરાબ તત્ત્વની ઉદ્દીણું થવા ન પામે તે માટે તેમના લગ્ન પ્રસંગમાં જઇશ નહીં. કેમકે રૂપાળી કન્યા જોઇને કદાચ આ ભવને માટે તેવા પ્રકારની સ્રીની પ્રાપ્તિ માટેના નિયાણા ખાંધવામાં મારે જીવ અટવાઈ જાય તે। ભવના અંત થવાને અવસર કોઇ દિવસે આવશે નહીં, એમ સમજીને કેવળ વ્યવહાર નિભાવવા પૂરતાં જ કયાંય જવુ' પડે તે જઇશ પણ ખીજી વાતેામાં મારા મનને મક્કમ રાખીશ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy