SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ન હોવાથી તે પાપને ત્યાગ. પિતાની પરિસ્થિતિને વશ થઈ અમુક અંશે કરે છે તે દેશવિરતિ કહેવાય, જેના બાર ભેદ છે. પ્રારંભના પાંચ અણુવ્રતે અને ત્રણ ત્રણ ગુણવ્રત દ્વારા નવા પાપ અટકે છે. પણ ફરીથી તે પાપ ન થવા પામે તે માટે ભાવ પાપેને રોકવા ચાર શિક્ષાત્રતે છે. આનાથી કેમે કમે જીવને આધ્યાત્મિક શિક્ષણ મળે છે, જેથી કોધ-માન -માયા-લેભાદિ પાપ કંટ્રોલમાં આવે છે. આત્મામાં અપૂર્વ શક્તિ ઉત્પન્ન કરવા માટે ભેગે પગ વિરમણવ્રતના અંતર્ગત ૧૪ નિયમનું પણ વિધાન છે. જે જૈન શાસનની અપૂર્વ ભેટ છે. અભ્યાસ કરીને તેની ટ્રેનિંગ લેનાર માણસ એક્કસ કલ્યાણ પામે છે તે નિર્વિવાદ છે. હવે બારે વ્રતને કમશઃ જાણીએ - (૧) પ્રાણાતિપાત વિરમણ : ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, અનાદિ કાળથી જીવ મિથ્યાત્વી હોવાના કારણે ભાવ અંધત્વને પ્રાપ્ત થયેલ હતું. દ્રવ્ય અંધ એટલે આંખ વિનાને અંધ માણસ તે બીજાના કહેવાથી કે સમજાવવાથી પણ કંઈક સત્ય સ્વરૂપ સમજી શકે છે, પરંતુ ભાવ અંધને સમજાવવા માટે કેઈની પણ શક્તિ કામ આવતી નથી. તે કારણે તેના જીવનમાં નિર્વસ પરિણામનું પ્રાસૂર્ય હોવાથી તેના દ્વારા કરાતી થેડી પણ હિંસા મહાભયંકર ફળદાયી બને છે. કેમકે જીવનમાં વિવેક ન હોવાથી એક જીવની હત્યા કરતાં અનેક જીની હત્યાનું કારણ તે બની શકે છે. તેમની જૂઠ ભાષા સદૈવ દ્રોહાત્મક, ચૌર્યકર્મ દ્રવ્ય અને ભાવ હિંસાત્મક, મિથુનકમ સર્વથા નિર્દયી, અને પરિગ્રહ સંજ્ઞા મર્યાદાતીત હોવાથી ક્રોધાદિ ભાવ પાપ પણ હમેશાંને માટે ભડકેલાં જ હોય છે તેથી પાપ એ પાપ છે” તેવું તેમને સમજવામાં આવતું પણ નથી.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy