SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮મું ઉદ્દેશક-૮ ૪૫૭ હતાં. તેમની પાસે અન્ય યૂથિકે આવ્યા અને સાક્ષેપપૂર્વક આ પ્રમાણે બોલ્યા કે “હે આર્ય ! તમે જૈન મુનિએ મનવચન અને કાયાથી સંયમ વિનાના છે ! યાવત્ અવિરત, અપ્રતિ હત પાપકમી છે, ત્રિદંયુક્ત છે, માટે એકાંત બાળ છે!” ત્યારે ગૌતમસ્વામીએ તેમને પૂછ્યું કે અમે ક્યાં કારણે અસંયત યાવત્ એકાંત બાળ છીએ”? ત્યારે તેઓએ કહ્યું કે, તમે એક ગામથી બીજા ગામ માટે અવરજવર કરે છે તે સમયે તમારા પગ નીચે કેટલાય જ મરી જાય છે. - ઈત્યાદિ વાતેના જવાબમાં ગૌતમે કહ્યું કે “અમે જ્યારે વિહાર કરીએ છીએ ત્યારે ઈસમિતિપૂર્વક ઉપગને ખ્યાલ રાખીને ચાલીએ છીએ માટે જીવ હિંસાને સંભવ અમને જૈન મુનિઓને નથી. કેઈપણ જીવને અમે ઉપદ્રવિત, પીડિત, દુખિત, સંઘક્રિત, પરિવર્તિત કે સ્પર્શ આદિનાં કારણે અમે પ્રાણ વધથી મુક્ત છીએ, પરંતુ તમે લેકે અસંયમી હેવાથી ધમધમ કરતાં ઉચું નીચું જોતા ઉપગ રહિત ચાલે છે, શરીરે સ્નાન કરે છે, ફળ ભાજી તેડીને, છુંદીને, બાફીને ખાએ છે, કંદમૂળાદિનું ભક્ષણ કરે છે, લાકડાના ખડાઉં પગમાં પહેરીને ચાલે છે તે સમયે લાકડાથી કેટલાય કીડા, મકેડા ચગદાઈને મરી જાય છે. પુપે તેડો છો, માળા બનાવે છે અને ગળામાં પહેરો છો, ચૂલા સળગાવીને રાઈ પાણું કરે છે અને ભાંગ, અફીણ, ચરસ, ગાંજો પીવે છે અને ગૃહસ્થાશ્રમમાં રહીને પુત્રાદિના પિતા પણ બને છે માટે તમે જ અસંયમી છે, જીવવધક છે, યાવત્ પાપોને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy